ધૂળેટીના દિવસે જ ધ્વસ્ત થઈ 5 માળની ઇમારત, જુઓ વીડિયો

દિલ્હીમાં હોળીના તહેવારના દિવસે મોટો અકસ્માત થઈ ગયો. ભજનપુરા વિસ્તારમાં એક 5 માળની ઇમરાત ધ્વસ્ત થઈને રોડ તરફ પડી ગઈ. આ અકસ્માતમાં અત્યાર સુધી કોઈ જાનહાનિ થવાની જાણકારી મળી નથી. અકસ્માતની જાણકારી મળતા જ પોલીસ અને ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે. ઇમારતના કાટમાળ નીચે કોઈ દબાયેલું તો નથી? હાલમાં તેની તપાસ કરવામાં આવી રહી છે. જો કે, કહેવામાં આવી રહ્યું છે કે, બિલ્ડિંગ પડવા પહેલા જ આસપાસના વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો હતો.

સાથે જ રોડ પણ બ્લોક કરી દેવામાં આવ્યો હતો. અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે 5 માળની ઇમારત થોડી જ સેકન્ડોમાં કઈ રીતે ધ્વસ્ત થઈ જાય છે. આખી ઇમારતને પડવામાં માત્ર 29 સેકન્ડનો સમય લાગે છે. ઇમારત પડતી જોઈને ઉપસ્થિત લોકો પણ આમ તેમ ભાગવા લાગે છે. આ અકસ્માતના કારણે આસપાસની દુકાનો અને ઘર ઝપેટમાં આવી ગયા છે. જો કે, આ અકસ્માતમાં કોઈ પણ જાનમાલનું નુકસાન થવાના સમાચાર નથી. કાટમાળને હટાવવામાં આવી રહ્યો છે.

દિલ્હી પોલીસ તરફથી આ અકસ્માતમાં થનારા નુકસાન લઈને અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન પણ આવ્યું નથી. બિલ્ડિંગના સ્વામી મલિકના પુત્રોએ જણાવ્યું કે, પૂર્વમાં એક ભૂકંપ આવ્યો હતો, જેના કારણે બિલ્ડિંગમાં તિરાડ પડી ગઈ હતી અને બિલ્ડિંગ નબળી થઈ ગઈ હતી.

આ કારણે બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ. આ લોકોએ જોયું કે બિલ્ડિંગની ટાઇલ્સ અને સિમેન્ટ પડી રહી છે, સમય રહેતા અમારી સામે જ વસ્તુ આવી ગઈ. આ કારણે આજે મોટો અકસ્માત થતા બચી ગયો, કોઈ જાનમાલનું નુકસાન થયું નથી. માત્ર બિલ્ડિંગ ડેમેજ થઈ છે.

દિલ્હીના ફાયર વિભાગના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, વિજય પાર્કમાં ઇમારત પડવાના સંબંધમાં કોલ બપોરે 3:05 વાગ્યે મળ્યો. ત્યારબાદ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળ પર મોકલી દેવામાં આવી. આ અગાઉ દિલ્હી દેહાંતના નજફગઢ એરિયામાં એક 3 માળની ઈમારતનો ઉપરનો હિસ્સો એવી જ રીતે ધ્વસ્ત થઈ ગયો હતો. ઘટના બાદ આખા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટના બાદ દિલ્હી પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. અકસ્માતમાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થઈ ગયા હતા.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.