ખેડૂત માટે ભગવાન બન્યા ડૉક્ટર,ઈલાજમાં લગાવ્યા 5000 ઈન્જેક્શન,કારણ જાણી હેરાન થશો

રાજસ્થાનના પાલી જિલ્લામાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જેને જાણીને તમે ચોંકી જશો. મળતી માહિતી મુજબ, એક ખેડૂત પોતાના પાકને જંતુઓથી બચાવવા માટે તેના ખેતરમાં ઝેરી દવાનો છંટકાવ કરી રહ્યો હતો. તે જ સમયે તેના શરીરમાં જંતુનાશક દવા પણ પ્રવેશી ગઈ હતી, જેના કારણે ખેડૂત બેભાન થઈ ગયો. પરિવારજનોને ઘટનાની જાણ થતાં જ તેઓ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. આ જંતુનાશક એટલું ઝેરી હતું કે તે ખેડૂતનો જીવ મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. ખેડૂતના શરીરની અંદર સુધી ઝેરી જંતુનાશક પહોંચી જવાને કારણે તેના બચવાની શક્યતાઓ નહિવત હતી. પરંતુ ડોકટરોએ હિંમત હારી ન હતી અને દર્દીનો જીવ બચાવવા માટે તમામ પ્રયાસો કર્યા હતા. ખેડૂતને 24 દિવસ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યો, જે દરમિયાન દર્દીને 5000 ઈન્જેક્શન આપવામાં આવ્યા. આખરે તબીબોની મહેનત રંગ લાવી અને હવે દર્દી એકદમ ઠીક છે. લગભગ 600 ML જંતુનાશક ખેડૂતના શરીરમાં પ્રવેશી ગયું હતું.

સરકારી મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. દીપક વર્માએ જણાવ્યું કે, પાલી બાંગર હોસ્પિટલમાં એક દર્દીને લાવવામાં આવ્યો હતો, જેની હાલત ખૂબ જ ખરાબ હતી. જંતુનાશકનો મોટો જથ્થો, જેને ઓર્ગેનોફોસ્ફરસ ઝેર કહેવાય છે, તેના શરીરમાં પ્રવેશી ગયો હતો. ખેડૂતની ઉંમર આશરે 35 વર્ષની હતી, તેને ગંભીર હાલતમાં અને બેભાન અવસ્થામાં બાંગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે દર્દી હોસ્પિટલ પહોંચ્યો ત્યારે તેને એટ્રોપીન (એન્ટીડોટ)ના 350 ઈન્જેક્શન આપવામાં આવ્યા અને દર્દીને ICUમાં દાખલ કરવામાં આવ્યો. તેમજ તેની ગંભીરતાને ધ્યાનમાં લઈને ખેડૂતને મિકેનિકલ વેન્ટીલેટર પર મૂકવામાં આવ્યો હતો.

ડૉક્ટર પ્રવીણ ગર્ગની ટીમે પહેલા દર્દીને તેના ગળામાં કાણું પાડીને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન આપવાનું શરૂ કર્યું, કારણ કે દર્દી શ્વાસ પણ લઈ શકતો ન હતો. આ પછી, એન્ટિ-ડોટ દવા એટ્રોપીનના ઇન્જેક્શન શરૂ કરવામાં આવ્યા. દર્દીનો જીવ બચાવવા દર્દીને દરરોજ 208 ઈન્જેક્શન આપવામાં આવતા હતા, જેથી ઝેરની અસર દૂર થઈ શકે. આ સાથે દર્દીને દવાઓ પણ આપવામાં આવી હતી. દર્દીને 24 દિવસ સુધી હોસ્પિટલમાં ડોકટરોની કડક દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો અને ધીમે ધીમે દર્દીની સ્થિતિમાં સુધારો થયો. હવે 24 દિવસ પછી દર્દી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છે અને ડોક્ટરોએ તેને હોસ્પિટલમાંથી રજા આપી દીધી છે.

યુવકના માતા-પિતા ગુજરી ગયા છે. તે તેની મોટી બહેન સાથે રહેતો હતો. બહેન અને તેના બાળકોએ હોસ્પિટલમાં 26 દિવસ સુધી યુવકની સેવા કરી. આ યુવક ખેતી ઉપરાંત માર્બલ ફિટિંગનું કામ પણ કરે છે. બહેને કહ્યું કે, હોસ્પિટલમાં મારા ભાઈને બચાવવા માટે ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફે કરેલા પ્રયત્નોની હું જેટલી પ્રશંસા કરું તેટલી ઓછી છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.