કૂતરાના કૂતરી સાથે લગ્ન કરાવી વરઘોડામાં જાનૈયાનો ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો

ઉત્તર પ્રદેશના અલીગઢમાં ઢૌલ નગારા સાથે કુતરા કુતરીના લગ્ન કરાવાયા. કાયદેસર વરઘોડો નીકળ્યો અને ફેરા પણ થયા. લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. તેમાં લોકો નાચતા ગાતા નજરે પડ્યા. આરતીની થાળી પણ છે અને વરમાળા પણ છે. હિંદુ રીતિ રિવાજ સાથે ટોમી અને જેલીના લગ્ન સંપન્ન થયા.

જેલી, રામપ્રકાશ સિંહની પાલતુ કુતરી છે. તે 7 મહિનાની છે. જ્યારે, ટોમી સુખરાવાલી ગામના પર્વ પ્રધાન દિનેશ ચૌધરીનો પાલતુ કુતરો છે. બન્નેના લગ્ન મકર સંક્રાંતિના દિવસે એટલે કે, 14મી જાન્યુઆરીના રોજ નક્કી થયા. આ કુતરાઓના લગ્ન કોઇ ઇન્ડિયન બિગ ફેટ વેડિંગથી ઓછા ન હતા.

દુલ્હન બનેલી જેલી અને તેનો પરિવાર ટિકરી રાયપુરથી લગ્ન કરવા આવ્યા હતા. વરરાજો ટોમી અને તેના પરિવારવાળાઓએ સ્વાગત સુખરાવલી ગામમાં કર્યું. જેલીએ પરિવારથી આવેલા લોકોએ ટોમીને તિલક પણ લગાવ્યું. ત્યાર બાદ જુલૂસ સાથે ટોમીનો વરઘોડો કાઢવામાં આવ્યો. ઢોલ નગારાની સાથે લોકો નાચતા ગાતા ટોમીના વરઘોડામાં ગયા. વરઘોડા બાદ વરમાળા થઇ. કુતરા કુતરીના લગ્ન હિંદુ રીતિ રિવાજ પ્રમાણે કરવામાં આવ્યા.

ટોમીના માલિક દિનેશ ચૌધરીએ કહ્યું કે, મકર સંક્રાંતિના અવસર પર અમે લગ્નનું આયોજન કર્યું હતું. લગ્નમાં ચોખ્ખા ઘીનું ભોજન લોકોને પરોસવામાં આવ્યું હતું. આ ખોવાનું ગામના કુતરાઓને પણ ખવડાવવામાં આવ્યું હતું. દિનેશે કહ્યું કે, લગ્નમાં 40થી 45 હજાર રૂપિયાનો ખર્ચો પણ કરવામાં આવ્યો હતો.

ગયા વર્ષે નવેમ્બર મહીનામાં ગુરુગ્રામમાં પણ એક આવા જ લગ્ન થયા હતા. જ્યાં કપલે પોતાના પાલતુ કુતરાના લગ્ન પડોસની એક કુતરી સાથે કરાવ્યા હતા. લગ્ન માટે 100 ઇન્વિટેશન કાર્ડ પણ મોકલવામાં આવ્યા હતા. હિંદુ રીતિ રિવાજ સાથે મોટા ઉત્સાહની સાથે લગ્ન સંપન્ન થયા હતા.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.