પૂર્વ રક્ષામંત્રીની કોંગ્રેસને સલાહ, મોદીને હરાવવા હિન્દુ વોટની જરૂર રણનીતિ...

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી A.K.એન્ટનીએ હિંદુ વોટ બેંકના મહત્વ પર ભાર આપતા કહ્યું કે, કોંગ્રેસે 2024ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સત્તા પરથી હટાવવા માટે બહુમતી સમુદાયને સાથે લેવો જોઈએ, માત્ર લઘુમતીના બળ પર આ લડાઈ નહીં જીતી શકાય. કોંગ્રેસ કાર્ય સમિતિના સભ્ય A.K.એન્ટની પાર્ટીના સ્થાપના દિવસ પર આયોજિત એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. તેમણે કોંગ્રેસને હિન્દુઓ પ્રત્યે વધુ સંવેદનશીલ થવા માટે કહ્યું.

તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, 'ભારતમાં બહુમતી વાળા લોકો હિંદુ છે અને આ બહુમતી વાળા સમુદાયને નરેન્દ્ર મોદીની સામે લડાઈમાં સામેલ કરવા જોઈએ.' તેમણે કહ્યું કે, દરેકે સતર્ક રહેવું જોઈએ અને 'ફાસીવાદની સામે લડાઈ'માં બહુમતી વાળા સમુદાયને સાથે લેવો જોઈએ.

હિન્દુઓને નરમ હિન્દુત્વના રૂપમાં બતાવવાથી નુકશાન

એન્ટનીએ કહ્યું કે, જેમ લઘુમતીઓને તેમના ધર્મ અને આસ્થાને માનવાની સ્વતંત્રતા છે, તેવી જ રીતે હિન્દુ સમુદાયના લોકોને પણ મંદિરમાં જવાનો, તિલક લગાવવાનો અધિકાર છે. જ્યારે-જ્યારે આવું હિન્દુ સમુદાયના લોકો કરે છે ત્યારે તેમને નરમ હિન્દુત્વમાં માનનારા લોકોના રૂપમાં બતાવવામાં આવે છે, જે યોગ્ય રણનીતિ નથી, તેનાથી નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટીને ફાયદો થશે અને તેઓ એકવાર ફરી સત્તામાં આવી જશે.

ભાજપનો પલટવાર

એન્ટનીના આ નિવેદન પર ભારતીય જનતા પાર્ટી તરફથી વળતો જવાબ આપતા શહજાદ પૂનાવાલાએ કહ્યું, કોંગ્રેસની નીતિ રહી છે કે, 'હિન્દુઓ કો દો ગાલી, તાકી મિલે વોટ બેન્ક કી તાલી', તેમણે કહ્યું, 'કોંગ્રેસે ઘણી વખત ભગવાન રામના અસ્તિત્વ પર સવાલ ઉઠાવ્યા છે, રામ મંદિરનો પણ વિરોધ કર્યો છે. કોંગ્રેસે ગીતાની સરખામણી જેહાદ સાથે કરી છે અને હિંદુત્વની તુલના આતંકવાદી સંગઠન ISIS અને બોકો હરમ સાથે કરી છે. તેમણે કહ્યું કે, જે કોંગ્રેસે પહેલા વોટ બેંક માટે હિંદુત્વને આતંકવાદ સાથે જોડ્યુ, હવે તે જ પાર્ટીના દિગ્ગજ નેતાએ તેની આ વાતોને ફગાવી દીધી છે.

જ્યારે BJP નેતા અમિત માલવિયાએ પણ એન્ટનીના નિવેદન પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, કોંગ્રેસ માટે ભારતના લોકો ભારતીય નથી, પરંતુ તેઓ ભારતીયોને બહુમતી-લઘુમતી, હિન્દુ-મુસ્લિમમાં વહેંચી ચૂક્યા છે. હવે પૂર્વ રક્ષા મંત્રી A.K.એન્ટની કહી રહ્યા છે કે, કોંગ્રેસને મોદી સરકારને પછાડવા માટે હિન્દુઓના સમર્થનની જરૂરત છે, લઘુમતીઓનું સમર્થન જ પૂરતું નથી.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.