આ તે કેવો રાક્ષસ, પત્ની, 2 દીકરી, 1 દીકરાની હત્યા કરીને પછી પોતે પણ લટકી ગયો

ઉત્તર પ્રદેશથી એક એવી ઘટના સામે આવી છે જે જાણીને તમે ક્રોધથી લાલચોલ થઇ જશો. શૈતાનને પણ શરમાવે તેવી એક હરકત યુવાને કરી છે. પોતાની પત્નીનું માથું ફોડી નાંખીને યમસદન પહોંચાડી દીધી, પછી 2 માસૂમ દીકરીઓ અને એક દીકરાનું ગળું દબાવીને હત્યા કરી નાંખી, એ પછી પોતે ફાંસી પર લટકી ગયો. આવા રાક્ષસોને કારણે પરિવારની જિંદગી નર્ક બની જતી હોય છે.

ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના મડિયાહૂ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જયરામપુર કસ્બામાં મંગળવારે મોડી રાત્રે એક યુવકે પોતાની પત્નીનું માથું ફોડી નાંખ્યું હતું અને મોતને ઘાટ ઉતારી હતી, જ્યારે 2 દીકરીઓ અને 1 દીકરાના ગળા દબાવીને હત્યા કરી નાંખી હતી, પછી ફાંસીએ લકટી ગયો હતો. પિતા હોય તે દીકરી પર હાથ ઉઠાવતા સો વખત વિચાર કરે અને આ રાક્ષસે તો 3 સંતાનોના ગળા દબાવી દીધા.

જૌનપુરના જયરામપુર કસ્બામાં રહેતા 35 વર્ષના નાગેશ વિશ્વકર્માએ પત્ની અને 3 સંતાનોની હત્યા કર્યા પછી રૂમમાં જઇને ફાંસી પર લટકી ગયો હતો. સવારે જ્યારે નાગેશના ઘરના દરવાજા ન ખુલ્યા તો પડોશી તેમને ઉઠાડવા માટે પહોંચ્યા હતા. પડોશીને એમ કે આજે કેમ આ લોકો મોડે સુધી જાગ્યા નથી. પરંતુ નાગેશના ઘરમાં જઇને પડોશીએ જે દ્રશ્ય જોયેં તે જોઇને તેમના હોંશ ઉડી ગયા હતા.તેમના મોંઢામાંથી ચીસ નિકળી ગઇ હતી, કારણકે ઘરમાં 5 લાશો પડી હતી.

નાગેશના ભત્રીજાએ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા આખા ગામમાં પરિવારના પાંચેય લોકોના મોત થી શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. હત્યાની ઘટનાની જાણકારી મળતા SP ગ્રામિણ ડો, અજય કુમાર શર્મા, CO મડિયાહુ અને 5 પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસે નાગેશના ભાઇ અને પરિવારજનોને પણ પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા. જાણવા મળેલી માહિતી મુજબ ઘટના પાછળા પારિવારિક તણાવ અને નોકરી નહીં મળવી મુખ્ય કારણ હોય શકે છે.

જાણવા મળેલી માહિતી મુજબ મડિયાહૂ તહસીલના સલાલુપુર ગામમાં સ્વ. પ્રેમશંકર વિશ્વકર્માના બે પુત્રો છે એક ત્રિભુવન અને બીજો નાગેશ. બંને ભાઇઓ 8 વર્ષ પહેલાં જ અલગ થઇ ગયા હતા. નાગેશ વિશ્વકર્મા જયરામપુર કસ્બામાં રહેવા ચાલ્યો ગયો હતો.બંને વચ્ચે મુંબઇ અને ગામના ઘરોનું વિભાજન કરી દેવામાં આવ્યું હતું.

પોલીસે કહ્યું હતું કે નાગેશ વિશ્વકર્મા પોતાની 31 વર્ષની પત્ની રાધિકા, 11 વર્ષની પુત્રી નિકિતા, 3 વર્ષની પુત્રી આયુષી અને 8 વર્ષનો દીકરો આદર્શ એમ 5 જણનો પરિવાર સાથે રહેતો હતો.પોલીસે કહ્યું કે આ નિર્દય નાગેશે પત્ની રાધિકાને માથામાં હઠોડાનો ઘા ઝંકીને મોતને ઘાટ ઉતારી હતી અને 3 બાળકોના સાડીથી ગળા દબાવીને હત્યા કરી નાંખી હતી. પછી પંખાના હુક સાથે લટકી ગયો હતો.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.