ખેડૂતનું મોત થયું,એક વાનર આવ્યો, ચાદર હટાવીને રડવા માંડ્યો,આ રીતે થઇ હતી દોસ્તી

ઉત્તર પ્રદેશના લખીમપુરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક ખેડુતનું મોત થયું હતું, એક વાનર જંગલમાંથી આવ્યો અને ચાદર હટાવ્યા પછી ધુસ્ક્રે ધુસ્કે રડવા માંડ્યો હતો. આ મૂંગા પ્રાણીને એ વાતની જાણ થઇ હતી કે તેનો મિત્ર હવે આ દુનિયામાં નથી રહ્યો. આ વાતથી દુખી થયેલો વાનર મહિલાઓ પાસે પણ ગયો હતો.માનવી અને પ્રાણીઓના સંબંધોના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. તાજેતરમાં આરિફ અને સારસની દોસ્તીની પણ ભારે ચર્ચા થઇ હતી.

લખીમપુર ખેરીમાં રહેતો એક ખેડુતનો છેલ્લાં 7 વર્ષથી નિત્ય ક્રમ હતો કે તે જ્યારે ખેતર જતો તો વચ્ચે જંગલ આવતું અને ત્યાં એક વાંદરાને તે દરરોજ રોટલી ખવડાવતો હતો. આમ વાંદરા અને ખેડુત વચ્ચે ગાઢ મિત્રતતા થઇ ગઇ હતી.

હવે જ્યારે એ રોટલી ખવડાવનાર ખેડુતનું મોત થયું તો એ વાંદરો અચાનક તેના ઘરે આવી ગયો હતો અને ચાદર હટાવીને રડવા લાગ્યો હતો. આ વખતે ત્યાં હાજર અનેક લોકો વાંદરાના પ્રેમથી અચંબિત થઇ ગયા હતા.

લખીમપુરી ખેરી જિલ્લામાં આવેલા ગોન્દિયા ગામમાં રહેતા 65 વર્ષના ખેડુત ચંદન વર્માનું મોત થયું હતું. ખેડુતના મોત પછી સગા સબંધીઓ અને ગામના લોકો ખેડુતના ઘરે આવવાના શરૂ થયા હતા.

તે વખતે એક વાનર આવ્યો હતો, તો લોકોને એવું લાગ્યું કે આમ જ આવી ગયો હશે, ખાવાનું આપીશું તો ચાલ્યો જશે. પરંતુ આ વાનર તો મૃતદેહ પાસે ગયો, ચાદર હટાવી અને ખેડુતનો ચહેરો જોયા પછી રડવા માંડ્યો હતો.

આ દરમિયાન શબ પાસે કેટલીક મહિલાઓ પણ બેઠી હતી અને રડી રહી હતી. એ પછી વાનર એ મહિલાઓ પાસે પણ ગયો અને તેમના હાથ પકડીને બેસી ગયો હતો. એ વાનરના ચહેરા પર મિત્ર દોસ્તના નિધનનું દુખ છલકતું હતું. આ દરમિયાન વાનર રડતો રહ્યો અને પછી થોડી વારમાં જંગલમાં ચાલ્યો ગયો હતો.

જાણવા મળેલી વિગત મુજબ ચંદન વર્મા છેલ્લાં 7 વર્ષથી નિયમિત આ વાનરને રોટલી ખવડાવતો હતો, પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી ચંદનની તબિયત સારી રહેતી ન હોવાને કારણે તેઓ ખેતરે જઇ શક્યા નહોતા.

લોકોમાં એ વાતની ચર્ચા હતી કે આખરે આ વાનરને ખબર કેવી રીતે પડી કે તેને રોટલી ખવડાવનાર માણસનું મોત થયું છે? જાણકારોનું કહેવું છે કે ઘણી વખત તમને જેની સાથે લગાવ હોય તેના વિશે ખરાબ થાય ત્યારે તેમને આંતરિક સ્ફુરણા થતી હોય છે.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.