માતાએ 3 બાળકો સાથે ટ્રેન સામે કૂદી આત્મહત્યા કરી, પણ 8 મહિનાના બાળકને કંઈ ન થયું

એક કહેવત છે કે જાકો રખે સૈયાને કોઈ નહીં મારી શકે. અર્થાત્ ભગવાન જેની સાથે હોય તેને કોઈ નુકસાન કરી શકે નહીં. આવો જ એક કિસ્સો UPના ચંદૌલીથી સામે આવ્યો છે, જ્યાં એક માતા તેના 3 બાળકો સાથે ટ્રેનની સામે કૂદીને મૃત્યુ પામી હતી. પરંતુ તેના 8 મહિનાના બાળકને જરા સરખો ઉઝરડો પણ ન પડ્યો.

ચંદૌલીમાં કૌટુંબિક ઝઘડાને કારણે મહિલાએ તેના ત્રણ બાળકો સાથે ટ્રેનની સામે કૂદી પડી હતી. ટ્રેનની અડફેટે આવી જતાં મહિલા સહિત બે બાળકોના મોત થયા છે. જ્યારે 8 મહિનાનું બાળક ટ્રેનના પાટા વચ્ચે સુરક્ષિત રીતે બચી ગયું હતું. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. અને આગોતરી કાર્યવાહી શરૂ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, મુગલસરાય કોતવાલીના પરોરવા ગામની રહેવાસી મંજુના લગ્ન સાત વર્ષ પહેલા વારાણસીના ચિતાઈપુરના રહેવાસી કલ્લુ યાદવ સાથે થયા હતા. 26 વર્ષની મંજુને ત્રણ બાળકો હતા, જેમાં 6 વર્ષની આરાધ્યા, 4 વર્ષની અમૃતા અને 8 મહિનાનો પુત્ર અંકિત યાદવનો સમાવેશ થાય છે. મંજુના પતિ કલ્લુ યાદવના પિતરાઈ ભાઈ સાથે મંજુનું પ્રેમપ્રકરણ ચાલતું હતું. જેના કારણે પરિવારમાં ભારે તણાવ રહેતો હતો અને પતિ-પત્ની વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા રહેતા હતા.

મામલો એટલો વધી ગયો કે, મંજુએ પોતાના બાળકો સહિત મરવાનું મન બનાવી લીધું. આ દરમિયાન, મંજુ ત્રણ બાળકો સાથે મુગલસરાય કોતવાલીના પડાવ વિસ્તારમાં DDU જંક્શન-વારાણસી રેલ રૂટ પર સ્થિત અવધૂત ભગવાન રામ હોલ્ટ સ્ટેશન પાસે પહોંચી અને બાળકો સાથે ટ્રેનની સામે કૂદી પડી.

ટ્રેનની અડફેટે આવી જતાં મંજુ અને બંને છોકરીઓ આરાધ્યા અને અમૃતાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પરંતુ આખી ટ્રેન પસાર થઈ ગયા પછી પણ 8 મહિનાનો અંકિત રેલવે ટ્રેકની વચ્ચે સુરક્ષિત રીતે બચી ગયો હતો. ઘટના અંગે આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહોને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા.

આ દરમિયાન ઘટનાની માહિતી મંજુના પતિ કલ્લુ યાદવને આપવામાં આવી હતી. માહિતી મળ્યા બાદ મુગલસરાય પોલીસ સ્ટેશન પહોંચેલા કલ્લુ યાદવને 8 મહિનાના બાળક અંકિતને સોંપવામાં આવ્યો હતો. આ અંગે CO પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર અનિરુદ્ધ સિંહે જણાવ્યું હતું કે, પારિવારિક વિખવાદને કારણે એક મહિલાએ 3 બાળકો સાથે રેલવે ટ્રેક પર આત્મહત્યા કરી હતી. જેમાં એક બાળક સુરક્ષિત રીતે બચી ગયો હતો.

About The Author

Related Posts

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.