અંજુને જોઇને બીજા પણ ઇસ્લામ અપનાવે, પાકિસ્તાનના ઉદ્યોગકારે પ્લોટ ભેટમાં આપ્યો

અંજુ ઉર્ફે ફાતિમા અને નસરુલ્લાના નિકાહ પછી હવે કપલને ભેટ સોગાદોનો વરસાદ થઇ રહ્યો છે. પરિવારજનો અને સગાઓએ તો ભેટ આપી જ છે, પરંતુ પાકિસ્તાનના એક મોટા ઉદ્યોગપતિએ પણ અંજુ અને નસરુલ્લાને કિંમતી પ્લોટ ભેટમાં આપ્યો છે. આ બિઝનેસમેને કહ્યુ કે, અંજુને જોઇને બીજા પણ ઇસ્લામ ધર્મ અપનાવે. તેમણે કહ્યું કે, આ ભેટ આપવાનો હેતુ એ છે કે બીજો ધર્મ છોડીને ઇસ્લામ અપનાવનારને સુવિધા મળી રહે.

પાકિસ્તાનના એક બિઝનેસમેને અંજુથી ફાતિમા બનેલી ભારતીય મહિલાને જમીનનો પ્લોટ ભેટમાં આપ્યો છે, સાથે મદદ તરીકે એક ચેક પણ આપ્યો છે, જો કે ચેકમાં કેટલી રકમ લખવામાં આવી છે તે વિશે કોઇ માહિતી મળી શકી નથી. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદથી ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં નસરુલ્લાના ઘરે ભેટ લઇને પહોંચેલા ઉદ્યોગકારે અંજુને પોતાની કંપનીમાં નોકરી આપવાનું અને ઘર બેઠા પગાર આપવાનું પણ વચન આપ્યું છે.

પાકિસ્તાનની સ્ટાર ગ્રુપ કંપનીઝના CEO મોહસિન ખાન અબ્બાસીએ અંજુ અને નસરુલ્લાને પ્લોટ ભેટમાં આપ્યો છે. મોહસીન ખાને કહ્યું કે, જ્યારે બીજા દેશમાંથી આવીને કોઇ મહિલા ઇસ્લામને અપનાવે છે ત્યારે આપણી જવાબદારી બને છે કે તેમને કોઇ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. તેમને પાકિસ્તાનમાં કોઇ અભાવનો અહેસાસ ન થાય.

ઉદ્યોગકાર અબ્બાસીએ કહ્યું કે તેમની કંપની રિઅલ એસ્ટેટના ક્ષેત્રમાં કામ કરે છે. અમારા બોર્ડ મેમ્બર્સે નિર્ણય કર્યો છે કે અંજુ ઉર્ફે ફાતિમાને 10 મરલા સાઇઝનો પ્લોટ ભેટમાં આપવામાં આવશે. પાકિસ્તાનામા જમીનનું માપ મરલામાં કહેવાય છે. ભારતમાં માપની ગણતરી કરીએ તો એક મરલા બરાબર 272.25 સ્કેવર ફુટ થાય છે. મતલબ કે 10 મરલા બરાબર 2722. 50 સ્કેવર ફુટ થાય છે.

મોહસીન ખાને કહ્યું કે, જ્યારે ભારતીય મહિલા અંજુના દસ્તાવેજની કાનૂની પ્રક્રિયા પુરી થયા પછી તેને કંપનીમાં નોકરી આપવામાં આવશે અને તેણીને ઘર બેઠા પગાર મોકલવામાં આવશે.

ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અપર ડીર જિલ્લામાં પહોંચેલા ઉદ્યોગકાર અબ્બાસીએ ઈસ્લામમાં પ્રવેશ કરવા પર ખ્રિસ્તી મહિલા અંજુનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તેમણે પાકિસ્તાન સરકારને અંજુ અને નસરુલ્લાના પરિવારને સપોર્ટ આપવાની પણ અપીલ કરી હતી.

એટલું જ નહીં,  ઉદ્યોગકાર અબ્બાસીએ પાકિસ્તાનના અન્ય અમીર લોકોને પણ અંજુને ભેટ આપવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં પણ ઘણા પૈસાવાળા લોકો છે. તેઓએ પણ મદદ માટે આગળ આવવું જોઈએ.

મોહસીન ખાને આગળ કહ્યુ કે ભારતમાંથી પોતાનું ઘર-બાર છોડીને પાકિસ્તાન આવીને મુસ્લિમ બનેલી અંજુ ઉર્ફે ફાતિમાને સારું મહેસુસ થાય તેવી તમામ કોશિશ કરવી જોઇએ, જેથી બીજા લોકો પણ અંજુને જોઇને ઇસ્લામ ધર્મ અપનાવે. તેમણે પાકિસ્તાનના જવાબદાર લોકોને વિનંતી કરતા ક્હ્યું હતું કે, તેણીને એવો અહેસાસ ન થાય કે કોઇ એવા દેશમાં આવી ગઇ જ્યાં તેનું પોતાનું કોઇ નથી.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.