પત્નીની ખુશી માટે 7 કરોડમાં મંદિર બનાવ્યું, લોકોએ પતિને 'આજનો શાહજહાં' બતાવ્યો

PC: livehindustan.com

શાહજહાંએ તેની પત્ની મુમતાઝ બેગમની યાદમાં તાજમહેલ બંધાવ્યો હતો. જ્યારે, ઓડિશાના એક વ્યક્તિએ તેની પત્નીની ખુશી માટે 7 કરોડનું મંદિર બનાવ્યું. ઓડિશાના જાજપુર જિલ્લામાં બનેલું આ મંદિર તાજમહેલ જેવું ખૂબ જ સુંદર છે. અહીં તમને જણાવી દઈએ કે, મંદિર બનાવનાર વ્યક્તિનું નામ ખેત્રાવાસી લેનકા છે. તે એક બિઝનેસમેન છે. તેમની પત્નીનું નામ બૈજંતી છે, જે સંતોષી માની ભક્ત છે.

આ મંદિરનું નિર્માણ કરનાર ખેત્રાવાસી લેનકાએ આ મંદિરનું નિર્માણ અને તેનાથી સંબંધિત વિવિધ બાબતો શેર કરી હતી. તેણે જણાવ્યું કે તેના લગ્ન 1992માં થયા હતા. તેમની નવવિવાહિત પત્ની સંતોષી માની ભક્ત હતી. લગ્ન પછી અમે વિચાર્યું હતું કે, ગામમાં સંતોષી માનું નાનું મંદિર બનાવીશું. ખેત્રાવાસી લેનકાએ વધુમાં જણાવ્યું હતું કે, આ નાનકડું મંદિર આટલું મોટું બની જશે, તેના વિશે વિચાર્યું પણ નહોતું. તેમણે કહ્યું કે, આ મંદિર બનાવીને તેઓ પણ ખુશ છે, તેમની પત્ની પણ ખુશ છે અને ગામના લોકો પણ ખુશ છે.

બીજી તરફ ખેત્રાવાસી લેનકાની પત્નીનું કહેવું છે કે, મંદિર વિશે જે પણ કહેવામાં આવે તે ઓછું છે. તે કહે છે કે, તેના પતિએ તેના માટે મંદિર બનાવ્યું છે. આ માટે, તે તેના પતિનો હૃદયથી આભાર માનવા માંગે છે. બૈજંતિએ વધુમાં કહ્યું કે, તે દિલથી ઈચ્છે છે કે, માત્ર ગામ જ નહીં પરંતુ દેશના તમામ લોકો આ મંદિરમાં સ્થાપિત દેવીની મૂર્તિની પૂજા કરે અને માતાના આશીર્વાદ મેળવે. તે આગળ કહે છે કે, તેના પતિએ આ મંદિર માત્ર તેના માટે જ બનાવ્યું નથી, પરંતુ તમામ ગામવાસીઓ માટે પણ મંદિર બનાવ્યું છે.

બૈજંતી તેના પતિ સાથે હૈદરાબાદમાં રહે છે. તેમની ઈચ્છા હતી કે, ગામમાં સંતોષી માતાનું મંદિર બને. આ પછી તેના પતિએ તેની ઈચ્છા પૂરી કરવાનો નિર્ણય કર્યો. તેમણે વર્ષ 2008માં મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કર્યું હતું. હવે આ મંદિર બનીને તૈયાર છે. આ મંદિર દક્ષિણ ભારતીય શૈલીમાં બનાવવામાં આવ્યું છે. બૈજંતી જણાવે છે કે, મંદિર બનાવવા માટે તમામ કારીગરો ચેન્નાઈથી આવ્યા હતા. આ લોકો માટે અહીં રહેવાની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી.

જો કે, બે વર્ષ સુધી મંદિરના નિર્માણ થયા બાદ તેનું કામ અટકાવવું પડ્યું હતું. બૈજંતિના કહેવા પ્રમાણે, કેટલાક કારણોસર મંદિરના નિર્માણમાં અવરોધ આવ્યો હતો. જેના કારણે કારીગરોને પણ અહીંથી જવું પડ્યું હતું. જો કે, તે અવરોધ દૂર થયા પછી, કામ ફરી શરૂ થયું છે અને મંદિરમાં દેવીની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠાનું કામ થવાનું છે. આ સાથે બૈજંતીએ પતિ-પત્નીના સંબંધોને વધુ સારા બનાવવા માટે કેટલીક ટિપ્સ પણ આપી હતી. તેણે કહ્યું કે, તમે કંઈપણ ઈચ્છા રાખશો નહિ. જો તમે માંગશો તો ઇચ્છા ક્યારેય પૂર્ણ થશે નહીં. તેમણે કહ્યું કે, પતિની પરીસ્થિતિ અનુસાર નિર્ણય લેવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp