ડિલિવરી બોયના પ્રેમમાં પડી મહિલા, ઘરેથી ભાગીને કર્યા લગ્ન, હવે યુવકે કર્યો ઇનકાર

શું પ્રેમ ખરેખર આંધળો છે કે પછી તે માત્ર એક કહેવત છે. યુનિવર્સિટી કોલેજ ઓફ લંડન ખાતે હાથ ધરાયેલા અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે, પ્રેમમાં પડવાથી મગજની તે ગતિવિધિઓ પર અંકુશ આવે છે, જે કોઈને ટીકાની નજરથી જુએ છે. તે વ્યક્તિની નજીક હોવા પર, મન તેના પાત્ર અને વ્યક્તિત્વનું મૂલ્યાંકન કેવી રીતે કરવું તે નક્કી કરવાનું શરૂ કરે છે. મતલબ વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે પ્રેમ આંધળો હોય છે. મુઝફ્ફરપુરની આ ઘટનાએ તેને વધુ મજબૂત કરી.

બિહારના મુઝફ્ફરપુરમાં એક ઓનલાઈન કંપનીનો સામાન પહોંચાડનાર યુવક સાથે એક પરિણીત યુવતી પ્રેમમાં પડી ગઈ હતી. તે તેના પ્રેમમાં તેના પતિને ભૂલી ગઈ. ત્યારબાદ બંનેએ ઘરેથી ભાગીને લગ્ન કરી લીધા હતા. પરંતુ થોડા દિવસો બાદ યુવકે યુવતીને નકારી કાઢી હતી. હવે તે તેને સાથે રાખવાનો ઇનકાર કરી રહ્યો છે. આ મામલો બોચહાં પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામનો છે. જ્યાં પીડિતા પોલીસ સ્ટેશન પહોંચી અને આ મામલાની ફરિયાદ કરી.

પીડિતાએ પોલીસને જણાવ્યું કે, તે પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી છે. તેના લગ્ન પાંચ વર્ષ પહેલા વૈશાલી જિલ્લામાં થયા હતા. પરંતુ તે મોટાભાગે તેના પિયરના ઘરે જ રહેતી હતી. તે ઓનલાઈન સામાનની ખરીદી કરતી હતી. જે છોકરો ડિલિવરી કરવા આવતો હતો તે શરફુદ્દીનપુરનો રહેવાસી હતો. ઘણી વખત ડિલિવરી કરવા આવ્યા બાદ તેણે તેનો મોબાઈલ નંબર લઇ લીધો અને તેની સાથે વાત કરવા લાગ્યો. વાત કરતા કરતા પહેલા બંને મિત્રો બન્યા, પછી મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ.

પીડિતાએ પોલીસને જણાવ્યું કે, આ પછી આરોપી યશ ચૌધરી (ડિલિવરી બોય) તેને ભગાડીને લઈ ગયો અને ઘણા દિવસો સુધી તેની એક બહેનના ઘરે મને રાખી હતી. યુવતીએ ઘણું દબાણ કર્યા પછી તે આરોપી યુવક 26 જાન્યુઆરીએ તેને સ્થાનિક ચામુંડા મંદિર લઈ ગયો અને તેની સાથે લગ્ન કરી લીધા. આ પછી તેણે તેને તેના ઘર પાસે જ સલહામાં ભાડાના મકાનમાં રાખીને તેની સાથે રહેવાનું શરૂ કર્યું. આ દરમિયાન 8મી માર્ચના રોજ તે થોડીવારમાં આવું છું, તેમ કહી ઘરેથી નીકળી ગયો હતો. ત્યારથી તે પાછો ફર્યો નથી. મોબાઈલ પર કોલ કરતા તેણે જણાવ્યું કે, તે તેના કોઈ સંબંધીના ઘરે છે અને તે લોકો તેને ક્યાંય જવા નથી દેતા. પીડિતાએ વધુમાં જણાવ્યું કે, હવે મકાનમાલિક પણ તેને ઘર ખાલી કરવા માટે કહી રહ્યો છે. તેણે ક્યાં જવું જોઈએ, તેણે શું કરવું જોઈએ? કશું સમજી શકતી નથી.

આ મામલે પોલીસ સ્ટેશન પ્રમુખ અરવિંદ પ્રસાદે જણાવ્યું કે, પીડિતાની ફરિયાદની તપાસ કરવામાં આવી છે. તેના પતિનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આરોપી યુવકના સંબંધીઓને તેને સામે લાવવા માટે કહેવામાં આવ્યું છે. બંનેની પૂછપરછ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.