વગર ટિકિટે વંદે ભારતમાં ઘૂસી ગયો યુવક,ટોઈલેટમાં બેસી રહ્યો;ગેટ તોડીને...

વંદે ભારત એક્સપ્રેસના ટોયલેટમાં એક મુસાફરે પોતાની જાતને બંધ કરી દીધી હતી. શૌચાલયનો દરવાજો તોડીને યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો. તે કેરળના કાસરગોડથી ટ્રેનમાં ચડ્યો હતો જ્યાંથી ટ્રેન શરૂ થઈ હતી. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર તેની પાસે ટિકિટ નહોતી. ટ્રેનના મુસાફરોએ ઘણી વખત શૌચાલયનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો પણ તેણે ખોલવાની ના પડી હતી, ત્યાર પછી તેમણે RPFને જાણ કરી હતી.

દેશની પ્રખ્યાત ટ્રેન વંદે ભારત ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરી રહેલા એક મુસાફરે પોતાને ટોયલેટમાં બંધ કરી દીધો હતો. ખબર પડતાં જ TTE સહિત અન્ય સિક્યોરિટી સ્ટાફે બહારથી બૂમો પાડીને તેને શૌચાલયમાંથી બહાર નીકળવાનું કહ્યું હતું, પરંતુ તે માન્યો નહીં. ત્યાર પછી આગલા સ્ટેશન પર ટ્રેનને રોકવામાં આવી, પછી શૌચાલયનો દરવાજો તોડી નાખ્યો અને પછી તેને બહાર કાઢ્યો.

આ મામલો કાસરગોડ-તિરુવનંતપુરમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો છે. ઘટના રવિવારની છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર યુવક કેરળના કાસરગોડથી ટ્રેનમાં ચઢ્યો હતો જ્યાંથી ટ્રેન શરૂ થઈ હતી. તેની પાસે ટિકિટ ન હોવાથી તેણે પોતાને વોશરૂમમાં બંધ કરી દીધો. મુસાફરોએ ઘણી વખત દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો પણ ખૂલતો ન હતો, અને ત્યાર પછી રેલવે પ્રોટેક્શન ફોર્સને જાણ કરવામાં આવી હતી.

જ્યારે ટ્રેન કન્નુર અને કોઝિકોડ પહોંચી ત્યારે RPFએ તેને ટોયલેટમાંથી બહાર આવવા સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે નિષ્ફળ રહી. અંતે જ્યારે ટ્રેન શોરાનુર સ્ટેશન પહોંચી ત્યારે શૌચાલયનો દરવાજો તોડીને યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો.

હવે રેલવે પોલીસ યુવકની પૂછપરછ કરી રહી છે. તે દરવાજો બંધ કરવા પાછળનું કોઈ સ્પષ્ટ કારણ જણાવી શક્યો ન હતો. કહેવામાં આવી રહ્યું છે કે, ટિકિટ ન હોવાના કારણે યુવકે જાણી જોઈને ટ્રેનના ટોઈલેટનો દરવાજો બંધ કરી દીધો હતો જેથી તે TTEથી બચી શકે.

અહીં તમને જણાવી દઈએ કે, ભારતીય રેલવે વંદે ભારતનું નેટવર્ક વધારવા માટે સતત કામ કરી રહી છે. PM નરેન્દ્ર મોદીએ ગયા એપ્રિલ મહિનામાં કેરળને વંદે ભારતની ભેટ આપી હતી. આ દેશની 16મી વંદે ભારત ટ્રેન છે. આ વંદે ભારત ટ્રેન તિરુવનંતપુરમથી કાસરગોડ વચ્ચે ચાલે છે.

About The Author

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.