યુવકનું અકસ્માતમાં તેના જન્મદિવસના આગલા દિવસે મોત, કારનો કચ્ચરઘાણ

હરિયાણાના કુરુક્ષેત્રમાં એક ભયાનક અકસ્માત થયો છે. અહીં દિલ્હીથી કુલ્લુ-મનાલી જઈ રહેલા એક યુવકનું અકસ્માતમાં મોત થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે આવતીકાલે યુવકનો જન્મદિવસ છે, તે પોતાના મિત્રો સાથે જન્મદિવસ મનાવવા કારમાં જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં આ દર્દનાક ઘટના બની. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

મળતી માહિતી મુજબ, આ ઘટના હરિયાણાના કુરુક્ષેત્રમાં નેશનલ હાઈવે પર બની હતી. દિલ્હીનો એક યુવક કારમાં તેના મિત્રો સાથે કુલુ મનાલી ફરવા જઈ રહ્યો હતો. આવતીકાલે એ યુવાનનો જન્મદિવસ છે. રસ્તામાં કાર કોઈક રીતે ટ્રક સાથે અથડાઈ હતી, જેના કારણે તમામ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

જ્યારે, દિલ્હીના રહેવાસી યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. અકસ્માત બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

આ દરમિયાન ઈજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના અંગે પોલીસનું કહેવું છે કે, જે ટ્રક સાથે કાર અથડાઈ તેનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. ટ્રકનો કબજો મેળવી કાર્યવાહી હાથ ધરી છે.

ટક્કર એટલી જોરદાર હતી કે, કારને ભારે નુકસાન થયું હતું. કારનો આગળનો ભાગ ભાંગીને ભુક્કો થઇ ગયો છે. આ ઘટના દરમિયાન રોડ પરનો વાહન વ્યવહાર થંભી ગયો હતો. ઘટનાસ્થળ પર આવવા જવાવાળાઓની ભીડ જોવા મળી હતી.

પોલીસ કર્મચારી જિયાલાલે કહ્યું કે, ફોન પર માહિતી મળી હતી કે શાહબાદના સાહા પુલ પર એક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો છે. માહિતી મળતાં સ્થળ પર પહોંચીને જોયું કે, ટ્રક ચાલકની બેદરકારીને કારણે કાર અકસ્માતનો ભોગ બની હતી. ટ્રક ચાલકે અચાનક બ્રેક લગાવી દીધી હતી. જેના કારણે પાછળથી આવતી કાર ટ્રકની અંદર ઘુસી ગઈ હતી.

જિયાલાલે જણાવ્યું કે, કારમાં સવાર ચાર યુવકો દિલ્હીથી કુલ્લુ મનાલી જઈ રહ્યા હતા. આ યુવકોમાંથી એક દિલ્હીનો રહેવાસી છે, તેનો આવતીકાલે જન્મદિવસ છે, તેનું ઘટનાસ્થળે જ મોત થયું છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.