'આધાર કાર્ડ અને તિલક...'વિશ્વ હિન્દુ પરિષદે ગરબામાં પ્રવેશ માટે આ શરતો રાખી છે?

દેશભરમાં નવરાત્રી (નવરાત્રી 2023)ના કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. આ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ (VHP)દ્વારા એક ફરમાન બહાર પાડવામાં આવ્યું છે કે, ગરબા અને દાંડિયાના કાર્યક્રમોમાં માત્ર આધાર કાર્ડ બતાવવા પર જ પ્રવેશ આપવામાં આવે. વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત મહાસચિવ સુરેન્દ્ર જૈનનું કહેવું છે કે, આ તહેવારમાં ભાગ લેનાર દરેક વ્યક્તિ હિંદુ છે કે કેમ, તે વાતની તપાસ થવી જરૂરી છે.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતા અહેવાલ મુજબ, 15 ઓક્ટોબરના રોજ મુંબઈના દાદરમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત મહાસચિવ સુરેન્દ્ર જૈને કહ્યું કે, આધાર કાર્ડ દ્વારા ઓળખ થયા પછી દરેક વ્યક્તિના કપાળ પર તિલક અને કાંડા પર રક્ષા દોરો બાંધવો જરૂરી છે. તેમણે કહ્યું કે, 'લવ જેહાદ'થી બચવા માટે આ પગલાં લેવા જરૂરી બની ગયા છે. તેમણે કહ્યું કે, જે લોકોને હિંદુ ધર્મમાં આસ્થા નથી તેઓને આવા સમારંભોમાં ભાગ લેવાની મંજૂરી આપવી જોઈએ નહીં, આપણી મહિલાઓની સુરક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

વિશ્વ હિન્દુ પરિષદે કહ્યું કે, ગરબા રસ અને ભક્તિનો વિષય છે. આ માત્ર ડાન્સ પ્રોગ્રામ કે ઓર્કેસ્ટ્રા નથી. આ દેવી માતાને પ્રસન્ન કરવાનો તહેવાર છે. તેથી ગરબા આયોજકો અને વહીવટીતંત્ર બંનેએ ગરબા પંડાલમાં આવતા લોકોની તપાસ કરવી જોઈએ. આ માટે મુખ્ય દ્વાર પર ઉભા રહીને આવનાર દરેક વ્યક્તિનું આધાર કાર્ડ ચેક કરો. ગરબામાં ભાગ લેનાર દરેક વ્યક્તિના કપાળે તિલક લગાવો અને તેમના હાથ પર રક્ષા દોરો બાંધો.

આ પહેલીવાર નથી, જ્યારે હિંદુ સંગઠનોએ આવો આદેશ બહાર પાડ્યો હોય. ગયા વર્ષે નવરાત્રિ પર, બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદે ગરબાનું આયોજન કરતા લોકોને પંડાલમાં મુસ્લિમોને પ્રવેશ ન આપવા જણાવ્યું હતું. ઘણી જગ્યાએ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો નવરાત્રી પંડાલોની બહાર હાજર રહ્યા હતા. તેઓ કાર્યક્રમમાં આવનારા લોકોના ઓળખ કાર્ડ ચેક કરી રહ્યા હતા. કેટલીક જગ્યાએ નવરાત્રીના મંડપની બહાર કેટલાક યુવકોને માર પણ મારવામાં આવ્યો હતો. તેનો વીડિયો પણ વાયરલ થયો હતો.

ગયા વર્ષે પણ આ જ કાર્યક્રમો દરમિયાન કોમી અથડામણના અહેવાલો પણ આવ્યા હતા. આ કેસોના મામલે બુલડોઝર વડે મકાનો તોડી પાડવાના અને પોલીસો દ્વારા આરોપીઓને જાહેરમાં માર મારવાના અહેવાલો પણ બહાર આવ્યા હતા.

About The Author

Related Posts

Top News

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.