દિલ્હીમાં આજથી મફત વીજળી બંધ, કેજરીવાલ સરકારે જણાવ્યું કારણ

આમ આદમી પાર્ટી (AAP)એ દિલ્હીની જનતાને મોટો ઝટકો આપતા વીજળી પર આપવામાં આવતી સબસિડી બંધ કરવાની જાહેરાત કરી છે. મતલબ કે મફત વીજલી બંધ. દિલ્હીના ઉર્જા મંત્રી આતિશી સિંઘેએ આ અંગે માહિતી આપી છે.

આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારે લોકોને આપવામાં આવતી વીજળીની સબસિડી રોક લગાવવાની જાહેરાત કરી દીધી છે. દિલ્હીના ઉર્જા મંત્રી આતિશી સિંઘે શુક્રવારે આ વિશે જાણકારી આપતા કહ્યુ હતું કે, આજથી જ દિલ્હીના લોકોને આપવામાં આવતી સબસિડી વાળી વીજળી બંધ કરી દેવામાં આવશે. મતલબ કે આવતી કાલથી સબસિડી વાળા બિલ નહીં આવે.

આનું કારણ આપતા મંત્રી આતિશીએ કહ્યું, મફત વીજળી સબસિડી બંધ કરી દેવામાં આવી છે કારણ કે AAP સરકારે આગામી વર્ષ માટે સબસિડી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે, પરંતુ તે ફાઇલ દિલ્હી LG પાસે છે અને જ્યાં સુધી ફાઇલ પરત નહીં આવે ત્યાં સુધી. , AAP સરકાર સબસિડી બિલ જારી કરી શકે નહીં. AAPનો આ નિર્ણય દિલ્હીની જનતા માટે કોઈ મોટા ઝટકાથી ઓછો નથી.

દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર અને લેફટન્ટ ગર્વનર વચ્ચે વીજળી સબસિડીને લઈને છેલ્લા ઘણા મહિનાઓથી વિવાદ ચાલી રહ્યો છે. CM અરવિંદ કેજરીવાલની સરકાર મફત વીજળી અને પાણી પરની સબસિડી પહેલાની જેમ ચાલુ રાખવા માંગે છે, જ્યારે LGએ પત્ર દ્વારા સૂચવ્યું હતું કે સબસિડી સીધી ગ્રાહકોના ખાતામાં મોકલવામાં આવે.

દિલ્હીમાં જ્યારથી આમ આદમી પાર્ટી સત્તામાં આવી છે, ત્યારથી અત્યાર સુધી ગ્રાહતોને વીજળી અને પાણીના બિલમાં સબસિડીનો લાભ મળી રહ્યો હતો. ઓકટોબર 2022માં  કેજરીવાલ સરકારે મફત વીજળી યોજનામાંજે માંગશે તેની સબસિડી મળશે તેવો સુધારો કર્યો હતો. જેને કારણે લગભગ 25 ટકા લોકો સરકારની વીજળી સબસિડીના દાયરામાંથી બહાર થઇ ગયા હતા.

તાજેતરમાં દિલ્હીના મુખ્ય સચિવે એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, DERCની સુચનાઓનું પાલન ન થવાને કારણે સરકારને 300 કરોડ રૂપિયાનું નુકશાન થઇ રહ્યું છે, સરકાર એની પર ધ્યાન આપે. આ રિપોર્ટ આવ્યા પછી દિલ્હીના LG વિજય સક્સેનાએ દિલ્હી સરકારને સ્પષ્ટીકરણ કરવા કહ્યું હતું.

આતિશી સિંઘ દિલ્હીના કાલકાજી વિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને કેજરીવાલ સરકારમાં ઉર્જા મંત્રી છે. મંત્રીને આતિશી માર્લેના તરીકે પણ ઓળખવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.