દિલ્હીમાં આજથી મફત વીજળી બંધ, કેજરીવાલ સરકારે જણાવ્યું કારણ

આમ આદમી પાર્ટી (AAP)એ દિલ્હીની જનતાને મોટો ઝટકો આપતા વીજળી પર આપવામાં આવતી સબસિડી બંધ કરવાની જાહેરાત કરી છે. મતલબ કે મફત વીજલી બંધ. દિલ્હીના ઉર્જા મંત્રી આતિશી સિંઘેએ આ અંગે માહિતી આપી છે.

આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારે લોકોને આપવામાં આવતી વીજળીની સબસિડી રોક લગાવવાની જાહેરાત કરી દીધી છે. દિલ્હીના ઉર્જા મંત્રી આતિશી સિંઘે શુક્રવારે આ વિશે જાણકારી આપતા કહ્યુ હતું કે, આજથી જ દિલ્હીના લોકોને આપવામાં આવતી સબસિડી વાળી વીજળી બંધ કરી દેવામાં આવશે. મતલબ કે આવતી કાલથી સબસિડી વાળા બિલ નહીં આવે.

આનું કારણ આપતા મંત્રી આતિશીએ કહ્યું, મફત વીજળી સબસિડી બંધ કરી દેવામાં આવી છે કારણ કે AAP સરકારે આગામી વર્ષ માટે સબસિડી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે, પરંતુ તે ફાઇલ દિલ્હી LG પાસે છે અને જ્યાં સુધી ફાઇલ પરત નહીં આવે ત્યાં સુધી. , AAP સરકાર સબસિડી બિલ જારી કરી શકે નહીં. AAPનો આ નિર્ણય દિલ્હીની જનતા માટે કોઈ મોટા ઝટકાથી ઓછો નથી.

દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર અને લેફટન્ટ ગર્વનર વચ્ચે વીજળી સબસિડીને લઈને છેલ્લા ઘણા મહિનાઓથી વિવાદ ચાલી રહ્યો છે. CM અરવિંદ કેજરીવાલની સરકાર મફત વીજળી અને પાણી પરની સબસિડી પહેલાની જેમ ચાલુ રાખવા માંગે છે, જ્યારે LGએ પત્ર દ્વારા સૂચવ્યું હતું કે સબસિડી સીધી ગ્રાહકોના ખાતામાં મોકલવામાં આવે.

દિલ્હીમાં જ્યારથી આમ આદમી પાર્ટી સત્તામાં આવી છે, ત્યારથી અત્યાર સુધી ગ્રાહતોને વીજળી અને પાણીના બિલમાં સબસિડીનો લાભ મળી રહ્યો હતો. ઓકટોબર 2022માં  કેજરીવાલ સરકારે મફત વીજળી યોજનામાંજે માંગશે તેની સબસિડી મળશે તેવો સુધારો કર્યો હતો. જેને કારણે લગભગ 25 ટકા લોકો સરકારની વીજળી સબસિડીના દાયરામાંથી બહાર થઇ ગયા હતા.

તાજેતરમાં દિલ્હીના મુખ્ય સચિવે એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, DERCની સુચનાઓનું પાલન ન થવાને કારણે સરકારને 300 કરોડ રૂપિયાનું નુકશાન થઇ રહ્યું છે, સરકાર એની પર ધ્યાન આપે. આ રિપોર્ટ આવ્યા પછી દિલ્હીના LG વિજય સક્સેનાએ દિલ્હી સરકારને સ્પષ્ટીકરણ કરવા કહ્યું હતું.

આતિશી સિંઘ દિલ્હીના કાલકાજી વિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને કેજરીવાલ સરકારમાં ઉર્જા મંત્રી છે. મંત્રીને આતિશી માર્લેના તરીકે પણ ઓળખવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.