કોંગ્રેસ કે BJP, રાજસ્થાનમાં કોની બનશે સરકાર? સરવેના આંકડામાં થયો મોટો બદલાવ

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ABPએ C વોટર સાથે મળીને મોટો ઑપિનિયન પોલ કર્યો છે. રાજસ્થાન ચૂંટણીમાં કઈ મોટી પાર્ટી બનીને ઉભરાશે અને કોણ સત્તાની ખુરશી મેળવશે, તેને લઈને કરવામાં આવેલા સર્વેના હેરાન કરનારા પરિણામ સામે આવ્યા છે. સર્વે મુજબ, ભારતીય જનતા પાર્ટી (BJP) રાજસ્થાનમાં ફરી એક વખત જીતનો સ્વાદ ચાખશે અને કોંગ્રેસને 78-88 સીટો પર સંતોષ કરવો પડી શકે છે એટલે કે વર્ષ 2023ની ચૂંટણીમાં કોંગ્રેસને વિપક્ષમાં બેસવું પડી શકે છે.

રાજસ્થાનમાં વિધાનસભાની કુલ 200 સીટો છે. સર્વે મુજબ વિપક્ષી ભારતીય જનતા પાર્ટીને સત્તાનું સુખ ભોગવવાનો અવસર મળી શકે છે. તેને અહી 109-119 સીટો મળી શકે છે, જ્યારે કોંગ્રેસને 78-88 વચ્ચે સીટો મળશે. અન્ય પાર્ટીઓને 105 સીટો મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, ભાજપે ગત ચૂંટણીમાં બધી 200 સીટો પર ઉમેદવાર ઉતાર્યા હતા, પરંતુ તે બહુમતનો આંકડો સ્પર્શી શકી નહોતી, જ્યારે કોંગ્રેસને 100 કરતા વધુ સીટો મળી હતી.

વોટ શેર:

ચૂંટણીમાં વોટિંગ ટકાવારીની વાત કરીએ તો અહીં પણ વિપક્ષી પાર્ટી ભાજપ બાજી મારતી નજરે પડી રહી છે. ભાજપને 46 ટકા વોટ મળી શકે છે, જ્યારે કોંગ્રેસનો વોટ શેર 41 રકા રહેવાનું અનુમાન છે, તો 13 ટકા વોટ અન્ય પાર્ટીઓમાં જતા દેખાઈ રહ્યા છે  ABP ન્યૂઝ માટે C વૉટરે રાજસ્થાન ચૂંટણીનું સૌથી મોટું ઑપિનિયન કર્યું છે. આ સર્વેમાં 14 હજાર 85 લોકો સાથે વાત કરવામાં આવી. તેની સાથે જ રાજસ્થાનની રાજનીતિના હાલના મુદ્દાઓ પર તત્કાલીન સર્વે પણ કરવામાં આવ્યો છે, જેમાં 1 હજાર 885 લોકોના મંતવ્યો લેવામાં આવ્યા છે. સર્વે 25 જુલાઇ સુધી કરવામાં આવ્યો છે. તેમાં માર્જિન ઓફ એરર પ્લસ માઇનસ 3 થી પ્લાન્સ મૈયાનસ 5 ટકા છે.

હવે સર્વેમાં ભાજપને સત્તાનું સુખ મળતું તો દેખાઈ રહ્યું છે, પરંતુ છેલ્લા ઘણા મહિનાઓથી રાજસ્થાનમાં ભાજપના મુખ્યમંત્રીના ચહેરાને લઈને ચોતરફ ચર્ચા થઈ રહી છે. હવે જ્યારે મુખ્યમંત્રી ચહેરાને લઈને બધાની નજરો સીકરમાં વડાપ્રધાનની સભા પર હતી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટો સંકેત આપ્યા છે. તેમણે કોઈનું નામ લીધા વિનાઆ મોટી વાત કહી દીધી. તેમણે પોતાના ભાષણમાં ઘણા નેતાઓનું નામ લીધું. પૂર્વ મુખ્યમંત્રી ભૈરો સિંહ શેખાવત, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું નામ લીધું, પરંતુ પૂર્વ મુખ્યમંત્રીના કાર્યોની ચર્ચા ન કરી નથી.

શેખાવટીમાં ગત ચૂંટણીમાં ભાજપને સૌથી મોટું નુકસાન થયું છે. આ વાતની ચિંતા ભાજપને પણ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ. એટલે શેખાવટીમાં તેમણે ત્યાં, મજબૂત નેતાઓની ચર્ચા કરી, પરંતુ પહેલી વખત ભાજપ સરકારના કામની ચર્ચા ન કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે, આ વખત રાજસ્થાનમાં પડખું પણ બદલાશે અને રાજસ્થાનનું નસીબ પણ. કમળના ફૂલની ચર્ચા કરી, પરંતુ કોઈ નેતાનું નામ ન લીધું, જ્યારે કેટલાક નેતાઓને આશા હતી કે કેટલાક સંકેત મળી શકે છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.