INDIA નામ રાખીને વિપક્ષે માર્યો છે માસ્ટર સ્ટ્રોક, જાણો સરવેમાં શું થયો ખુલાસો

આગામી વર્ષે થનારી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વવાળા NDAનો સામનો કરવા માટે કોંગ્રેસ સહિત 26 વિપક્ષી પાર્ટીઓએ મળીને જે મહાગઠબંધન બનાવ્યું છે, તેને INDIA નામ આપવામાં આવ્યું છે. આ દરમિયાન એક સર્વે કરવામાં આવ્યો અને લોકો પાસે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે શું ગઠબંધનનું નામ INDIA હોવાથી ભાજપને તેના પર પ્રહાર કરવામાં પરેશાની થશે? સર્વેમાં ખૂબ જ ચોંકાવનારા પરિણામ સામે આવ્યા છે. ચાલો તો આ આર્ટિકલમાં તેની બાબતે વધુ જાણીએ.

18 જુલાઇના રોજ બેંગ્લોરમાં થયેલી વિપક્ષી પાર્ટીઓની બીજી બેઠકમાં મહાગઠબંધન માટે INDIA નામની જાહેરાત કરવામાં આવી હતી. સર્વેના આંકડાઓ મુજબ, મોટા ભાગના લોકોનું કહેવું છે કે, હા ભાજપને ગઠબંધન પર પ્રહાર કરવામાં પરેશાની થશે. ABP C વોટર તરફથી કરવામાં આવેલા સર્વેમાં 48 ટકા લોકોએ જણાવ્યું કે, ભાજપને INDIA નામના કારણે વિપક્ષ પર પ્રહાર કરવામાં પરેશાની થશે. તો 34 ટકા લોકોએ કહ્યું કે, તેમને એવું લાગતું નથી, જ્યારે 18 ટકા લોકો કન્ફ્યૂઝ નજરે પડ્યા અને તેમણે ‘ખબર નહીં’માં જવાબ આપ્યો.

શું લાગે છે INDIA નામ રાખવાથી ભાજપને વિપક્ષ પર પ્રહાર કરવામાં પરેશાની થશે?

સ્ત્રોત: C વોટર

હા: 48 ટકા

ના: 34 ટકા

ખબર નહીં: 18 ટકા

INDIAમાં 26 પાર્ટી સામેલ છે. આ દરમિયાન વધુ એક સવાલને લઈને સર્વે કરવામાં આવ્યો કે શું વિપક્ષી એકતાના મંચ પર કોંગ્રેસ હાવી છે? સર્વેમાં લોકોના મિશ્ર રીએક્શન આવ્યા છે. સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું કે, શું વિપક્ષી એકતાના મંચને કોંગ્રેસે હાઈજેક કરી લીધું છે? તેના જવાબમાં 37 ટકા લોકોએ કહ્યું કે ‘હા’, વિપક્ષી એકતામાં કોંગ્રેસ હાવી છે, જ્યારે 35 ટકા લોકોનું કહેવું છે કે, તેમને એવું લાગતું નથી. તો 28 ટકા લોકો કન્ફ્યૂઝ નજરે પડ્યા અને તેમણે ‘ખબર નહીં’નો જવાબ આપ્યો.

શું લાગે છે કે કોંગ્રેસે વિપક્ષી એકતા મંચને હાઈજેક કરી લીધું છે?

સ્ત્રોત: C વોટર

હા: 37 ટકા

નહીં: 35 ટકા

ખબર નહીં: 28 ટકા

વિપક્ષી ગઠબંધનનું નામ INDIA રાખ્યા બાદ ABP ન્યૂઝ માટે C વૉટરે ઓલ ઈન્ડિયા સર્વે કર્યો છે. આ સર્વેમાં 2 હજાર 664 લોકોના મંતવ્યો લેવામાં આવ્યા. સર્વે ગુરુવાર અને શુક્રવારે કરવામાં આવ્યો. આ સર્વેમાં માર્જિન ઓફ એરર પ્લસ માઇનસ 3 થી પ્લસ માઇનસ 5 ટકા છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.