રાહુલ ગાંધીને મળી સાચું બોલવાની સજા? જાણો સી-વોટરના સરવેમાં જનતા શું કહે છે

ઉત્તર પ્રદેશ સાથે જ હવે બિહારથી લઈને મહારાષ્ટ્ર સુધી રાજકીય પારો ચડ્યો છે. કર્ણાટકમાં ચૂંટણી ગરમાવો જોવા મળી રહ્યો છે તો પશ્ચિમ બંગાળમાં પણ રાજનૈતિક ગરમાવો જોવા મળી રહ્યો છે. તો રાહુલ ગાંધી માનહાનિ કેસ, સત્યપાલ મલિકે CBIનું મૌખિક સમન્સ, પશ્ચિમ બંગાળમાં હિંસાના મુદ્દા પણ ચર્ચામાં છે એવામાં રાજકીય માહોલમાં ABP ન્યૂઝ માટે C વૉટરે સર્વે કર્યું છે. સામ્પ્રત રાજકીય સવાલો પર ઓલ ઈન્ડિયા સરવે સોમવારથી બુધવાર સુધી કરવામાં આવ્યું છે. સરવેમાં માર્જિન ઓફ એરર પ્લસ માઇનસ 3 થી પ્લસ માઇનસ 5 ટકા છે.

આ સરવેમાં દેશની જનતાને સવાલ કરવામાં આવ્યો કે, રાહુલ ગાંધીનો આરોપ છે કે તમને સાચું બોલવાની સજા મળી છે શું એ સાચું છે? તેના પર લોકોએ ખૂબ જ ચોંકાવનારા જવાબ આપ્યા. સરવેમાં 48 ટકા લોકોએ કહ્યું કે, રાહુલ ગાંધીએ સાચું કહ્યું છે, જ્યારે 36 ટકા લોકોનું માનવું છે કે કોંગ્રેસ નેતાએ ખોટું કહ્યું છે. સરવેમાં 16 ટકા લોકો એવા પણ રહ્યા જેમણે ‘ખબર નહીં’નો જવાબ આપ્યો.

રાહુલ ગાંધીનો આરોપ છે કે તેમને સાચું બોલવાની સજા મળી છે?

48 ટકા લોકોએ સાચું કહ્યું

36 ટકા લોકોને ખોટું કહ્યું

16 ટકા લોકોએ ખબર નહીં કહ્યું.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય પૂર્ણેશ મોદી તરફથી દાખલ કરવામાં આવેલા વર્ષ 2019ના કેસમાં સુરત કોર્ટની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે 23 માર્ચના રોજ પૂર્વ કોંગ્રેસના અધ્યક્ષને દોષી ઠેરવતા 2 વર્ષની જેલની સજા સંભળાવી હતી. આ નિર્ણય બાદ રાહુલ ગાંધીને જનપ્રતિનિધિ અધિનિયમના પ્રવધાનો હેઠળ સંસદની સભ્યતાથી અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યા હતા.

ત્યારબાદ રાહુલ ગાંધીએ કેન્દ્ર પર આરોપ લગાવ્યો હતો કે તેઓ અદાણી કેસમાં સાચું બોલ્યા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ કર્યા એટલે તેમને સજા આપવામાં આવી. ત્યારબાદ રાહુલ ગાંધીએ આ નિર્ણયને સુરત સેશન્સ કોર્ટમાં પડકાર આપ્યો હતો, પરંતુ ત્યાં તેમની અરજી ફગાવી દેવામાં આવી. હવે તેઓ ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યા છે, પરંતુ હાઇકોર્ટના જજ ગીતા ગોપીએ રાહુલ ગાંધીના પડકારવાળી અરજી પર પોતાને અલગ કરી લીધા છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.