નેતા બોલ્યા-વંદે માતરમની ઇજ્જત કરું છું, પણ વાંચી નહીં શકું, ઇસ્લામમાં કોઈ...

મહારાષ્ટ્રની સમાજવાદી પાર્ટી (SP)ના એક નેતાએ કહ્યું કે, વંદે માતરમનું તેમના મનમાં ખૂબ ઇજ્જત છે. પાર્ટીના ધારાસભ્ય અબુ આજમીએ કહ્યું કે, ‘જ્યારે પણ સદનમાં વંદે માતરમ થાય છે તો હું ઊભો થઈને સન્માન કરું છું, પરંતુ હું વાંચી નહીં શકું કેમ કે મારા ધર્મમાં કહેવામાં આવ્યું છે કે, અલ્લાહ જેણે જમીન બનાવી, આકાશ બનાવ્યું, સૂરજ બનાવ્યો, ચંદ્ર બનાવ્યો, આખી દુનિયા બનાવી, અમે તેમના સિવાય કોઇની આગળ માથું નહીં ઝુકાવી શકીએ. એમ મારા ધર્મમાં કહેવામાં આવ્યું છે. હું તમારું કોઈ અપમાન કરી રહ્યો નથી. સુપ્રીમ કોર્ટે મને અધિકાર આપ્યો છે.

અબુ આજમી બુધવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં સંભાજીનગર જિલ્લામાં દંગાના મુદ્દા પર પોતાની વાત રાખતા કહ્યું કે, સરકાર અસલી મુદ્દાથી લોકોનું ધ્યાન હટાવવા માટે વંદે માતરમનો મુદ્દો ઉછાળી રહી છે. આ દેશ જેટલો તમારો છે, એટલો અમારો પણ છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, અમે એ છીએ જેના પૂર્વજોએ આ દેશ માટે પોતાનો જીવ આપ્યો, અમે એ છીએ. જેમણે પાકિસ્તાનને નહીં ભારતને પોતાનો દેશ માન્યો. અમને ઇસ્લામ શીખવે છે કે માથું એની આગળ જ ઝુકાવો, જેણે આ આખી દુનિયા બનાવી છે.

મારા ધર્મ મુજબ, જો હું વંદે માતરમ નહીં બોલી શકું તો તેનાથી મારા દિલમાં મારા દેશ માટે ઇજ્જત અને મારી વતનપરસ્તીમાં કોઈ કમી હોતી નથી અને તેનાથી કોઈને આપત્તિ પણ ન હોવી જોઈએ. જેટલા તમે આ દેશના છો, એટલા અમે પણ. તેમના આ નિવેદન પર પલટવાર કરતા ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ ટ્વીટ કરી. તેમણે કહ્યું કે, સમાજવાદી પાર્ટીના અબુ આજમી કહે છે કે હું વંદે માતરમ નહીં કહું. હું પોતાનું માથું નહીં ઝુકાવું, કેમ કે મારો ધર્મ તેની મંજૂરી આપતો નથી. શું તે INDIAનો વિચાર છે? અથવા એ ભારત વિરોધી છે? સમાજવાદી પાર્ટી આ કથિત INDIAનો હિસ્સો છે.

તેમણે આગળ કહ્યું કે, નામમાં INDIA છે, પરંતુ એજન્ડામાં નહીં! આ અગાઉ સમાજવાદી પાર્ટીએ આતંકવાદીઓને મુક્ત કરાવ્યા અને યાકુબ, અફઝલને સંરક્ષણ આપ્યું. વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નોર્વેકરે ધારાસભ્યોને શાંત રહેવાની આપીલ કરી અને કહ્યું કે, આજમીની ટિપ્પણીઓ વિષય માટે અપ્રાસંગિક છે. તેમણે ચર્ચા માટે સૂચિબદ્ધ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું. નોર્વેકરની અપીલ બાદ પણ હોબાળો ચાલુ રહ્યો અને ત્યારબાદ તેમણે સદનની કાર્યવાહી 10 મિનિટ માટે સ્થગિત કરી દીધી.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.