નવી કારની પૂજા કરાવીને પરત ફરતા અકસ્માત, 2 મહિલા સહિત 3ના મોત, ગાડી કચ્ચરઘાણ

એક પરિવારે  હજુ બે દિવસ પહેલાં જ નવી કાર ખરીદી હતી અને મંદિરે પૂજા કરીને પરત ફરતી વખતે અકસ્માત થયો અને આ અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકો કાળનો કોળિયો બની ગયા. છત્તીસગઢમાં એક પરિવારે હજુ બે દિવસ પહેલાં જ નવી કાર ખરીદી હતી, પરંતુ નવી કાર ખરીદવાની ખુશી લાંબી ટકી શકી નહીં. વાત એમ બની કે બાલોદ જિલ્લામાં આવેલા મંદિરમાં પરિવાર કારની પૂજા કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે કારનો એક ટ્રક સાથે ગંભીર અકસ્માત થયો તેમાં 2 મહિલા અને 1 પુરુષના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. તમે તસ્વીર જોશો તો ખ્યાલ આવશે કે કારનો તો કચ્ચરઘાણ વળી ગયો હતો.

બાલોદ જિલ્લાના એક મંદિરમાં નવી કારની પૂજા કરીને પરત ફરતી વખતે ભયાનક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા. ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના ડોંડી લોહારા પોલીસ સ્ટેશન વિસ્તારની જણાવવામાં આવી રહી છે. મૃતકોમાં બે મહિલા અને એક પુરૂષનો સમાવેશ થાય છે.

પોલીસ પાસેથી મળેલી જાણકારી મુજબ, આ ઘટના ડોંડીલોહારા દલ્લીહાજરા મુખ્ય રસ્તામાં આવતા સહગામ પાસે બની છે.ગઇ કાલે મોડી રાત્રે આ વિસ્તારમાં ઝડપથી પવન પણ ફુંકાયો હતો અને એવા સમયે રોંગ સાઇડ પરથી આવી રહેલી ટ્રક સાથે કાર ભટકાઇ ગઇ હતી.

કારમાં એક જ પરિવારના લોકો બેઠા હતા. પોલીસે કહ્યું હતું કે કારમાં સવાર લોકો ગિધાલી ગામના રહેવાસી હતા.કારના માલિક ચંપાલાલ સાહૂ ટ્રાન્સપોર્ટર છે અને તેમની પોતાની પાસે 5 ટ્રકો છે. સાહુ પરિવાર ગિધાલીનો પ્રતિષ્ઠીત પરિવાર તરીકે માનવમાં આવે છે. 2 દિવસ પહેલા ચંપાલાલ સાહૂએ એક નવી સ્વીફ્ટ ડિઝાયર કાર ખરીદી હતી. નવી કાર ખરીદીની ખુશીમાં ચંપાલાલ તેમના પરિવાર સાથે મંદિર પૂજા કરવા માટે બડોદના ડોંગરગઢ ગયા હતા. પૂજા કરીને રાત્રે પરત ફરી રહ્યા હતા ત્યારે ગિધાલીથી 6 કિ.મી. દુર વિસ્તારમાં તેમની કારને અકસ્માત નડ્યો હતો અને કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા.

રોડ અકસ્માતમાં મોતને ભેટનારા લોકોમાં ચંપાલાલ સાહૂ (38 વર્ષ) કુમારી સાહુ ( 16 વર્ષ) અહલ્યાબાઇ ( 55 વર્ષ)ના મોત થયા છે, જ્યારે રામજી સાહૂ (60), યમુના સાહૂ (32 વર્ષ) અને રિદ્ધિક સાહૂ ( 9 વર્ષ) ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.