નવી કારની પૂજા કરાવીને પરત ફરતા અકસ્માત, 2 મહિલા સહિત 3ના મોત, ગાડી કચ્ચરઘાણ

એક પરિવારે  હજુ બે દિવસ પહેલાં જ નવી કાર ખરીદી હતી અને મંદિરે પૂજા કરીને પરત ફરતી વખતે અકસ્માત થયો અને આ અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકો કાળનો કોળિયો બની ગયા. છત્તીસગઢમાં એક પરિવારે હજુ બે દિવસ પહેલાં જ નવી કાર ખરીદી હતી, પરંતુ નવી કાર ખરીદવાની ખુશી લાંબી ટકી શકી નહીં. વાત એમ બની કે બાલોદ જિલ્લામાં આવેલા મંદિરમાં પરિવાર કારની પૂજા કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે કારનો એક ટ્રક સાથે ગંભીર અકસ્માત થયો તેમાં 2 મહિલા અને 1 પુરુષના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. તમે તસ્વીર જોશો તો ખ્યાલ આવશે કે કારનો તો કચ્ચરઘાણ વળી ગયો હતો.

બાલોદ જિલ્લાના એક મંદિરમાં નવી કારની પૂજા કરીને પરત ફરતી વખતે ભયાનક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા. ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના ડોંડી લોહારા પોલીસ સ્ટેશન વિસ્તારની જણાવવામાં આવી રહી છે. મૃતકોમાં બે મહિલા અને એક પુરૂષનો સમાવેશ થાય છે.

પોલીસ પાસેથી મળેલી જાણકારી મુજબ, આ ઘટના ડોંડીલોહારા દલ્લીહાજરા મુખ્ય રસ્તામાં આવતા સહગામ પાસે બની છે.ગઇ કાલે મોડી રાત્રે આ વિસ્તારમાં ઝડપથી પવન પણ ફુંકાયો હતો અને એવા સમયે રોંગ સાઇડ પરથી આવી રહેલી ટ્રક સાથે કાર ભટકાઇ ગઇ હતી.

કારમાં એક જ પરિવારના લોકો બેઠા હતા. પોલીસે કહ્યું હતું કે કારમાં સવાર લોકો ગિધાલી ગામના રહેવાસી હતા.કારના માલિક ચંપાલાલ સાહૂ ટ્રાન્સપોર્ટર છે અને તેમની પોતાની પાસે 5 ટ્રકો છે. સાહુ પરિવાર ગિધાલીનો પ્રતિષ્ઠીત પરિવાર તરીકે માનવમાં આવે છે. 2 દિવસ પહેલા ચંપાલાલ સાહૂએ એક નવી સ્વીફ્ટ ડિઝાયર કાર ખરીદી હતી. નવી કાર ખરીદીની ખુશીમાં ચંપાલાલ તેમના પરિવાર સાથે મંદિર પૂજા કરવા માટે બડોદના ડોંગરગઢ ગયા હતા. પૂજા કરીને રાત્રે પરત ફરી રહ્યા હતા ત્યારે ગિધાલીથી 6 કિ.મી. દુર વિસ્તારમાં તેમની કારને અકસ્માત નડ્યો હતો અને કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા.

રોડ અકસ્માતમાં મોતને ભેટનારા લોકોમાં ચંપાલાલ સાહૂ (38 વર્ષ) કુમારી સાહુ ( 16 વર્ષ) અહલ્યાબાઇ ( 55 વર્ષ)ના મોત થયા છે, જ્યારે રામજી સાહૂ (60), યમુના સાહૂ (32 વર્ષ) અને રિદ્ધિક સાહૂ ( 9 વર્ષ) ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

About The Author

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.