કમલનાથની વિવાદિત જાહેરાત, ચૂંટણી બાદ પોલીસ અને અધિકારીઓ પાસે લઈશ હિસાબ

મધ્ય પ્રદેશમાં જેમ-જેમ ચૂંટણીનો સમય નજીક આવતો જાય છે, તેમ-તેમ ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ બંને તરફથી નિવેદનોનો સિલસિલો જોર પકડતો જઇ રહ્યો છે. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથે શનિવારે નિવાડીમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા વિવાદિત જાહેરાત કરી દીધી હતી. મંચ પરથી કમલનાથે કહ્યું કે, 8 મહિના બાદ રાજ્યમાં ચૂંટણી થવાની છે. ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનવાનો દાવો કરતા તેણે કહ્યું કે, 8 મહિના બાદ તેઓ પોલીસ અને અધિકારીઓ પાસે હિસાબ લેશે.

કમલનાથે પોલીસ અને અધિકારીઓને શિવરાજ સરકાર અને ભાજપના લોકોની તરફદારી કરવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસ પાર્ટી ભાજપ પર નોકરશાહી અને અધિકારીઓના રાજકીય ઉપયોગ કરવાનો આરોપ લગાવતી રહી છે . કમલનાથે મંચ પરથી કહ્યું કે, ‘પોલીસ અને અધિકારી કાન ખોલીને સાંભળી લે, 8 મહિના બાદ સરકાર કોંગ્રેસની હશે, ત્યારે તમારી પાસે અમે હિસાબ લઇશું. તમે સરકારી નોકર છો, તમારું કામ જનતાની સેવા કરવાનું છે, પરંતુ તમે ભાજપ અને શિવરાજ સિંહની સેવામાં લાગેલા રહો છો. જલદી જ હિસાબ થશે.

કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથે જનતાને સંબોધિત કરતા કહ્યું કે, રાજ્યમાં આ વખત યુવાઓ અને આગામી પેઢીના ભવિષ્યની ચૂંટણી છે એટલે સમજી વિચારીને વોટ આપો. આ ચૂંટણીથી તમારી આવનારી પેઢીનું ભવિષ્ય નક્કી થશે. ગત વખત ચૂંટણીમાં કોંગ્રેસને જનતાનું સમર્થન મળ્યું હતું, પરંતુ છળ, બળથી સરકાર તોડીને ભાજપે જનાદેશનું અપમાન કર્યું છે. તેમણે જનતાને અપીલ કરી છે કે આ વખત ફરી કોંગ્રેસને સમર્થન આપે. વિધાનસભાની ચૂંટણીને લઇને રાજ્યમાં રાજકીય પારો હાઇ છે.

ભાજપ અને કોંગ્રેસ બનેએ જનતાની લામબંદી શરૂ કરી દીધી છે. ભાજપ શિવરાજ સરકારની ઉપલબ્ધીઓ ગણાવીને જોરદાર પ્રચાર-પ્રસાર કરી રહી છે, તો કોંગ્રેસ ભાજપ પર વર્ષ 2018ના જનાદેશનું અપમાન કરવાનો આરોપ લગાવી રહી છે. કોંગ્રેસ નેતા પોલીસ અને અધિકારીઓના રાજકીય ઉપયોગનો આરોપ પણ લાગી રહ્યો છે. કોંગ્રેસ આ બધા મુદ્દાઓને ચૂંટણી સુધી હવા આપવાનો પ્રયત્ન કરી રહી છે. નવા વર્ષની શરૂઆત જ વિવાદિત નિવેદનોનો સિલસિલો જોર પકડી રહ્યો છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.