અદાણીને મોટો કોન્ટ્રાક્ટ, 50 વર્ષ માટે અમદાવાદ સહિત 5 એરપોર્ટ મળ્યા

અમદાવાદના એરપોર્ટ સહીત દેશના 5 એરપોર્ટના સંચાલનની જવાબદારી અદાણી ગ્રુપને સોંપવામાં આવી છે. અમદાવાદ, જયપુર, મેંગ્લોર, ત્રિવેન્દ્રમ અને લખનઉ એરપોર્ટનું સંચાલન આજથી 50 વર્ષ સુધી અદાણી ગ્રૂપ કરશે.

એક રીપોર્ટ અનુસાર આજે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા દેશના 6 એરપોર્ટના સંચાલન માટે કેટલીક પ્રાઈવેટ કંપનીઓ બિડિંગ કરવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતુ. આ 6 એરપોર્ટમાં અમદાવાદ, જયપુર, મેંગ્લોર, ત્રિવેન્દ્રમ લખનઉ અને ગુવાહાટી એરપોર્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના બિડિંગમાં અદાણી ગ્રુપે પાંચ એરપોર્ટનું સંચાલાન કરવાનું બિડિંગ જીતી લીધું હતુ. જેના કારણે આ પાંચેય એરપોર્ટનું 50 વર્ષ સુધી સંચાલન કરવાની જવાબદારી અદાણી ગ્રુપને સોંપવામાં આવી હતી.

આ બાબતે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ જણાવ્યું હતુ કે, જે પણ કંપનીઓએ બિડિંગમાં ભાગ લીધો હતો, તેમાં અદાણી ગ્રુપની બોલી વધારે હતી. જેથી તમામ ઔપચારિકતા પૂર્ણ થયા પછી 5 એરપોર્ટનું સંચાલન કરવાની જવાબદારી અદાણી ગ્રુપને આપવામાં સોંપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા દેશના 6 એરપોર્ટને પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ આધારીત સંચાલન કરવાનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારમાં રજૂ કરવામાં આવ્યો હતો. ગત વર્ષે નવેમ્બર મહિનામાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.

એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ જણાવ્યા અનુસાર બિડિંગમાં એરપોર્ટના સંચાલન માટે 10 કંપનીઓ તરફથી 32 બોલીઓ લગાડવામાં આવી હતી. જેમાં અમદાવાદ અને જયપુર એરપોર્ટ માટે 7-7 બોલીઓ લાગી હતી, લખનઉ અને ગુવાહાટી એરપોર્ટ માટે 6-6 બોલીઓ લાગી હતી અને મેંગ્લોર, ત્રિવેન્દ્રમ એરપોર્ટ માટે ૩-૩ બોલી લગાડવામાં આવી હતી. હાલ આ બિડિંગમાં ગુવાહાટી એરપોર્ટને લઇ કોઈ પણ નિર્ણય આવ્યો નથી, જેના કારણે મંગળવારે ગુવાહાટી એરપોર્ટ સંચાલન કઈ કંપનીને સોંપવું તેનો નિર્ણય લેવામાં આવે તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

આ બિડિંગમાં અદાણી ગ્રુપ ઉપરાંત GMR, કોચીન ઇન્ટરનેશનલ, PNC ઇન્ફ્રા, NIIF,AMP, આઈ ઇન્વેસ્ટમેંટ, KSIDC અને આર્ટોર્સ્ટ્રડે ઔટ્રોસ્ટ્રાડે ઇન્ફ્રાએ ભાગ લીધો હતો.

અદાણી ગ્રૂપ તરફથી મંથલી પર પેસેન્જર ફીના પસ્તાવની માહિતી નીચે પ્રમાણે છે.

  • અમદાવાદ એરપોર્ટ 177 રૂપિયા
  • લખનઉ એરપોર્ટ 171 રૂપિયા
  • જયપુર એરપોર્ટ 174 રૂપિયા
  • મેંગલોર એરપોર્ટ 155 રૂપિયા
  • ત્રિવેન્દ્રમ એરપોર્ટ 168 રૂપિયા

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.