CM યોગી પાસે ભાડા પર લઈ શકે છે મહાનગરપાલિકા, ગેરકાયદેસર બાંધકામ પર જજની ટિપ્પણી

PC: opindia.com

કોલકાતામાં એક ગેરકાયદેસર બાંધકામના કેસમાં એક જનહિતની અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ અભિજીત ગાંગુલીએ કહ્યું કે, કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (KMC) ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ પાસે બુલડોઝર ભાડા પર લઈ શકે છે. આ મામલે હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ભારતીય જનતા પાર્ટી (BJP) સામસામે આવી ગઈ છે. જસ્ટિસ અભિજીત ગાંગુલીએ આ ટિપ્પણી ત્યારે કરી જ્યારે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના વકીલ કોલકાતા મહાનગર પાલિકા અંતર્ગત આવતા ક્ષેત્રોમાં એક ગેરકાયદેસર બાંધકામ સંબંધમાં પોતાનું મંતવ્ય રાખી રહ્યા હતા.

કોર્ટની આ ટિપ્પણી બાદ કોલકાતા મેયર ફિરહાદ હકીમે કહ્યું કે, અમે બુલડોઝરિંગની અવધારણમાં વિશ્વાસ કરતા નથી. અમે વિકાસમાં વિશ્વાસ કરીએ છીએ. સાથે જ કહ્યું કે, એ પણ સત્ય છે કે અમે કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર બાંધકામનું સમર્થન નહીં કરીએ. તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા કૃણાલ ઘોષે જસ્ટિસ અભિજીત ગાંગુલીની આ ટિપ્પણી પર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, જસ્ટિસ ગાંગુલી પ્રસિદ્ધિ ઈચ્છે છે.

પશ્ચિમ બંગાળમાં CPMની કોઈ ભૂમિકા રહી નથી. તે આ રેસથી બહાર થઈ ચૂકી છે. એટલે તેઓ ભાજપ માટે પ્રયાસ કરી રહ્યા છે. તેમને પશ્ચિમ બંગાળ ભાજપ પર પણ ભરોસો નથી. તેઓ સૂકાંત મજૂમદાર, શુવેન્દુ અધિકારી પર વિશ્વાસ કરતા નથી. કૃણાલ ઘોષે કહ્યું કે, જો બુલડોઝર જોઈએ તો પશ્ચિમ બંગાળ સરકાર પાસે પણ બુલડોઝર છે. પાલિકા પાસે પણ બુલડોઝર છે. જસ્ટિસ ગાંગુલી તૃણમૂલ કોંગ્રેસ વિરોધી છે. યોગી રાજમાં બધા બુલડોઝર મહિલાઓ અને દલિતોનું લોહી વહાવી રહ્યા છે.

ઉત્તર પ્રદેશમાં ઉન્નાવ, હાથરસ, પ્રયાગરાજ જેવા કેસ છે, પરંતુ અભિજીત ગાંગુલી ઉત્તર પ્રદેશને રોલ મોડલ બનાવી રહ્યા છે. ભાજપ નેતા શિશિર બાજોરિયાએ જસ્ટિસ અભિજીત ગાંગુલીની ટિપ્પણી પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું કે, એક વખત કહેવામાં આવતું હતું કે બંગાળ જે આજે વિચારે છે, દેશ તેની બાબતે કાલે વિચારે છે, પરંતુ કેટલા દુર્ભાગ્યની વાત છે કે હવે બંગાળ ગેરકાયદેસર બાંધકામો માટે પ્રસિદ્ધ થવા લાગ્યું છે.

કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઘણી વસ્તુ ગેરકાયદેસર છે. સત્તાધારી પાર્ટી એમ કરી રહી છે. તેમને તો કટ પૈસા જ જોઈએ. આજે એ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે કે કોલકાતા હાઇકોર્ટે એક ટિપ્પણી કરી છે કે જો પાલિકા ન જાણતું હોય કે ગેરકાયદેસર બાંધકામ કેવી રીતે રોકવામાં આવે તો ઉત્તર પ્રદેશથી બુલડોઝર ભાડા પર લાવવા પડશે. આ સરકાર અને કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનનો અંત નજીક છે. જો કે, જસ્ટિસ ગાંગુલીના જાણીતાનું કહેવું છે કે, તેમણે આ વાત હલકા અંદાજમાં હાસ્યની રીતે કરી હતી. આ એક વ્યંગાત્મક ટિપ્પણી હતી. રેકોર્ડ પર કશું જ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp