ભારતમાં આ દેશની એમ્બેસી આજથી બંધ, જતા-જતા કરી આ રિક્વેસ્ટ

અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન આવવા છતા ભારતમાં જૂની સરકારનું કામ દૂતાવાસ કરી રહ્યું હતું, પરંતુ હવે દૂતાવાસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. એક સત્તાવાર નિવેદનમાં શનિવારે કહેવામાં આવ્યું કે, ઈસ્લામિક રિપબ્લિક ઓફ અફઘાનિસ્તાનના દૂતાવાસે રવિવારે ભારતમાં પરિચાલનને બંધ કરવાનો નિર્ણય લીધો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘ખૂબ જ દુઃખ, અફસોસ અને નિરાશા સાથે નવી દિલ્હીમાં અફઘાનિસ્તાનનું દૂતાવાસ પોતાનું પરિચાલન બંધ કરવાના આ નિર્ણયની જાહેરાત કરે છે.’

દૂતાવાસ બંધ કરવા પાછળ મેજબાન સરકારના સમર્થનની કમી અને અફઘાનિસ્તાનના હિતોની પૂર્તિની અપેક્ષાઓને પૂરી ન કરી શકવાનો સંદર્ભ આપવામાં આવ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘દૂતાવાસે મેજબાન સરકાર પાસે મહત્ત્વપૂર્ણ સમર્થનની ઉલ્લેખનીય કમીનો અનુભવ કર્યો છે, જેથી અમારી ક્ષમતા અને કર્તવ્યમાં પ્રભાવી ઢંગે બાધા ઉત્પન્ન થઈ. અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે ઐતિહાસિક સંબંધો અને દીર્ઘકાલીન ભાગીદારીને ધ્યાનમાં રાખતા સાવધાનીપૂર્વક વિચાર-વિમર્શ બાદ નિર્ણય લેવામાં આવ્યો છે.’

દૂતવાસે ભારતમાં રાજનાયિક સમર્થનની કમીનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે કાયદેસરના કામકાજી સરકારનો અભાવ છે. દૂતાવાસને બંધ કરવાની જાહેરાત સાથે અફઘાનિસ્તાની દૂતવાસે કર્મીઓ અને સંસાધનોની કમી જેવા પડકારોનો સંદર્ભ આપ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે રાજદૂતોના વિઝા સમય પર રિન્યૂ ન કરવામાં આવ્યા, જેના કારણે ટીમમાં નિરાશા ઉત્પન્ન થઈ. અફઘાન નાગરિકો માટે ઇમરજન્સી કાન્સુલર સેવાઓ દૂતાવાસને મેજબાન દેશોને સ્થળાંતરીત થવા સુધી ચાલુ રહેશે.

દૂતાવાસ તરફથી આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે અફઘાનિસ્તાન દૂતવાસના રાજદૂત અને અન્ય વરિષ્ઠ રાજદૂત ભારત છોડીને યુરોપ અને અમેરિકા જતા રહ્યા, જ્યાં તેમણે શરણ લીધું. અધિકારીઓએ કહ્યું કે, 5 અફઘાન રાજદૂતોએ દેશ છોડ્યો. દૂતાવાસે કહ્યું કે વિદેશ મંત્રાલયને પહેલા નવી દિલ્હીમાં પરિચાલન બંધ કરવાના પોતાના નિર્ણયથી અવગત કરાવવામાં આવ્યું હતું. તેની સાથે જ સરકારને ભારતમાં રહેવા, કામ કરવા, અભ્યાસ કરવા, વેપાર કરવા અને વિભિન્ન ગતિવિધિઓમાં સામેલ થનારા અફઘાનોના હિતોની રક્ષાનો આગ્રહ કરવામાં આવ્યો.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.