આસામમાં શા માટે 1000થી વધારે ડુક્કરોને વીજ કરંટથી મારી નંખાયા, મામલો શું છે

PC: opindia.com

આસામના લખીમપુરમાં પશુ ચિકિત્સકોના એક ગ્રુપે આફ્રિકી સ્વાઇન ફ્લૂને રોકવા માટે 1000થી વધારે ડુક્કરોને મારી નાખ્યા. આ વાતની જાણકારી પશુપાલન અને સ્વાસ્થ્ય અધિકારી કુલધર સૈકિયાએ આપી છે. તેમણે કહ્યું કે, લખીમપુર જિલ્લામાં આફ્રિકન સ્વાઇન ફ્લૂને રોકવા માટે 10 ડૉક્ટરોની ટીમે 1000થી વધારે ડુક્કરોને વીજ કરંટ દ્વારા મારી નાખ્યા. જિલ્લામાં આફ્રિકન સ્વાઇન ફ્લૂ ઝડપથી ફેલાઇ રહ્યો છે. એજ કારણ છે કે ડુક્કરોને વીજ કરંટ આપી મારવામાં આવી રહ્યા છે.

1000થી વધારે ડુક્કરોને વીજ કરંટ આપી મારી નખાયા

સરકારે નોર્થ-ઈસ્ટ રાજ્યોમાં આ ફ્લૂને ફેલાતો રોકવા માટે 27 ઉપકેન્દ્રોમાંથી લગભગ 1387 ડુક્કરોને મારી નાખ્યા. આ વર્ષની શરૂઆતમાં આસામ સરકારે એવિયન ઈંફ્લૂએંઝા અને આફ્રિકન સ્વાઇન ફ્લૂ રોકવા માટે રાજ્યમાં મરઘા અને ડુક્કરોના પ્રવેશ પર બેન લગાવી દીધો હતો.

આસામના પશુ ચિકિત્સા અને મંત્રી અતુલ બોરાએ કહ્યું, નોર્થ-ઈસ્ટ રાજ્યોમાં મરઘા અને ડુક્કરોથી થનારા એવિયન ઈંફ્લૂએંઝા અને આફ્રિકન સ્વાઇન ફ્લૂને રોકવા માટે આ પગલુ લેવામાં આવ્યું છે. દેશના ઘણાં રાજ્યોમાં આ બીમારી ફેલાયા પછી આસામ સરકારે રાજ્યમાં મરઘી અને ડુક્કરોના પ્રવેશ પર બેન લગાવ્યું હતું.

મનુષ્યમાં ફેલાઇ કે નહી?

મધ્ય પ્રદેશના દમોહ જિલ્લામાં જાન્યુઆરી માં આફ્રિકન સ્વાઇન ફ્લૂ રોકવા માટે તંત્રએ 700 ડુક્કરોને મારી નાખ્યા હતા. આ વાયરસ ઘરેલૂ અને જંગલી બંને ડુક્કરોને પ્રભાવિત કરે છે. જ્યાં સ્વાઇન ફ્લૂ પ્રાણીઓમાંથી મનુષ્યમાં ફેલાઇ શકે છે. તો આફ્રિકન સ્વાઇન ફ્લૂ ડુક્કરોમાંથી મનુષ્યમાં ફેલાતો નથી.

શું છે આફ્રિકન સ્વાઇન ફ્લૂ

આફ્રિકન સ્વાઇન ફ્લૂ પાળેલા અને જંગલી ડુક્કરોમાં થમારી અત્યંત સંક્રામક બીમારી છે. આ વાયરસના સકંજામાં આવ્યા પછી મોટાભાગના ડુક્કરોની મોત થાય છે. આનું નુકસાન ડુક્કરોને ઉછેર કરનારાઓને થાય છે. આની અસર મનુષ્યો પર જોવા મળતી નથી. એક ડુક્કરમાંથી  બીજા ડુક્કરમાં આ બીમારી ઝડપથી ફેલાઇ જાય છે. આફ્રિકન સ્વાઇન ફ્લૂને ધ્યાનમાં લેતા આસામની સરકાર એલર્ટ મોડમાં છે. એવામાં કોઇપણ રીતના સંક્રમણને ધ્યાનમાં લેતા રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp