અબોલ પક્ષીનો પ્રેમ, 4 મહિના પછી આરીફને જોયો તો સારસ ખુશીથી ઉછળી પડ્યું, વીડિયો

ઉત્તર પ્રદેશના અમેઠીના આરીફ અને સારસની ચર્ચા દેશભરમાં ચાલી હતી અને અનેક દિવસો સુધી આરીફ-સારસની મિત્રતાની લોકો વખાણ કરતા રહ્યા હતા. તેમની દોસ્તી હોય કે પછી તેમનું અલગ થવું, હમેંશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહ્યું છે. આરીફથી અલગ થયા પછી સારસને કાનપુર પક્ષીઘરમાં રાખવામાં આવ્યું હતું. અહીં આવતા પ્રવાસીઓ સારસને ખાસ જોવા માટે ખાસ આવતા રહે છે.

સારસ સાથે દોસ્તી માટે જાણીતો આરીફ સારસને પણ યાદ કરતો રહેતો હતો. આખરે 4 મહિના પછી આરીફ સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવની સાથે કાનપુર પક્ષીઘર પહોંચ્યો હતો, પરંતુ તે વખતે તેની સારસ સાથે મુલાકાત શક્ય બની નહોતી.પરંતુ આરીફ ફરીથી સારસને મળવા પહોંચ્યો હતો.

આરીફે પોતે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું છે કે 4 મહિના પછી પોતે પોતાના મિત્ર સારસને મળવા કાનપુર પક્ષીઘર ગયો હતો. આરીફે કહ્યું કે, પહેલાં મેં પક્ષીઘરની ટિકીટ ખરીદી અને મોંઢા પર માસ્ક લગાવીને સારસને જ્યાં રાખવામાં આવ્યું છે ત્યાં પહોંચ્યો હતો. આરીફે જેવું મોંઢા પરથી માસ્ક હટાવ્યું કે તરત જ સારસ ખુશીથી ઉછળી ગયું હતું અને પોતાની પાંખો પટપટાવીને જાણે ડાન્સ કરવા માંડ્યું હતું. આરીફને જોયા પછી તેણે પોતાની ખુશીની અભિવ્યકિત કરી દીધી હતી. આરીફે કહ્યું કે, સારસે મને તરત જ ઓળખી લીધો હતો. આરીફે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે.

આરીફે કહ્યુ કે, મને મારા દોસ્ત સારસની યાદ આવતી હતી એટલે તેને મળવા કાનપુર પક્ષીઘર ગયો હતો. આરીફે કહ્યું કે મને વસવસો છે કે સારસને હું મારી સાથે રાખી શકતો નથી, કારણકે વન વિભાગનો નિયમ છે. પરંતુ અમારી દોસ્તી ક્યારેય તુટવાની નથી, હું તેને નિયમિત મળવા જઇશ. સારસને મળ્યા પછી મને પણ એટલી જ ખુશી મળે છે.

અમેઠીમા રહેતા આરીફને  થોડા સમય પહેલા ખેતરમાંથી સારસ ઘાયલ હાલતમાં મળ્યુ હતું. એ પછી આરીફે તેની સારવાર કરી હતી અને તેને ખોરાક પણ આપ્યો હતો.  આટલા સમયમાં સારસ અને આરીફ વચ્ચે એવી દોસ્તી થઇ ગઇ હતી કે આરીફ બાઇક પર જતો તેની સાથે સારસ પણ ઉડતું ઉડતું જતું હતુ. પરંતુ જ્યારે વન વિભાગને જાણ થઇ ત્યારે સારસને કાનપુર પક્ષીઘરમાં લઇ જવાયું હતું.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.