દિગ્વિજય પર રાહુલની સર્જિકલ સ્ટ્રાઈક, કહ્યું- મને સેનામાં પૂરો વિશ્વાસ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પુલવામા હુમલા અને સર્જિકલ સ્ટ્રાઈક પર દિગ્વિજય સિંહના નિવેદનથી દૂરી કરી લીધી છે. રાહુલ ગાંધીએ કહ્યું, દિગ્વિજય સિંહે જે કહ્યું તેનાથી તેઓ સહમત નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે, મને સેનામાં પૂરો વિશ્વાસ છે. દેશની સેના ગમે તે ઓપરેશન કરે, તેના પુરાવા આપવાની જરૂર નથી. એટલું જ નહીં રાહુલે આ દરમિયાન ગુલામ નબી આઝાદની માફી પણ માંગી હતી. રાહુલે કહ્યું, જો મેં ક્યારેય ગુલામ નબી આઝાદ અને ચૌધરી લાલ સિંહને દુઃખ પહોંચાડ્યું હોય તો હું તેમની માફી માંગુ છું.

કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે મંગળવારે સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે પુલવામામાં આપણા 40 CRPF જવાનો શહીદ થયા છે. CRPFના અધિકારીઓએ PM મોદીને તમામ જવાનોને એરલિફ્ટ કરવા વિનંતી કરી હતી, પરંતુ PM મોદી માન્યા ન હતા. આવી ભૂલ કેવી રીતે થઈ? તેમણે કહ્યું કે, આજ સુધી પુલવામા પર સંસદ સમક્ષ કોઈ રિપોર્ટ મૂકવામાં આવ્યો નથી. તેમણે દાવો કર્યો હતો કે સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી, પરંતુ પુરાવા દર્શાવ્યા ન હતા. ભાજપ માત્ર જુઠ્ઠાણા ફેલાવે છે.

જ્યારે ગુલામ નબી આઝાદને ભારત જોડો યાત્રા માટે આમંત્રણ ન આપવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે, ગુલામ નબી આઝાદની પાર્ટીના મોટાભાગના લોકો અમારી સાથે બેઠા હતા. 90 ટકા લોકો કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. માત્ર ગુલામ નબી આઝાદ જ બાકી રહી ગયા છે. હું ગુલામ નબી આઝાદનું સન્માન કરું છું. જો મેં તેમને કોઈ રીતે દુઃખ પહોંચાડ્યું હોય, તો હું તેમની માફી માંગુ છું. ગુલામ નબી આઝાદે કોંગ્રેસ સાથે છેડો ફાડીને પોતાની પાર્ટી બનાવી હતી, પરંતુ તેમાંથી મોટાભાગના લોકો પાછા કોંગ્રેસમાં આવી ગયા હતા.

રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા હાલ જમ્મુ-કાશ્મીરમાં છે. રાહુલ ગાંધીએ જમ્મુમાં પત્રકાર પરિષદમાં વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી. આ દરમિયાન જ્યારે રાહુલ ગાંધીને દિગ્વિજય સિંહના નિવેદન અંગે સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, આ દિગ્વિજય સિંહનું અંગત નિવેદન છે. હું તેમના નિવેદન સાથે સહમત નથી. મને દેશની સેનામાં પૂરો વિશ્વાસ છે.

આ દરમિયાન રાહુલ ગાંધીએ રાજનાથ સિંહ પર પણ વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું, હું જોઈ શકું છું કે રાજનાથ સિંહની પાર્ટી દેશને કેવી રીતે નુકસાન પહોંચાડી રહી છે. રાહુલે કહ્યું કે, મને લાગે છે કે જે પાર્ટીમાં રાજનાથ સિંહ છે, ત્યાં તેમણે શું કહેવાનું છે તે ટોચના નેતાઓ બતાવે છે. મતલબ કે ભાજપના ટોચના નેતાઓ જેટલું કહે છે તેટલું રાજનાથ સિંહ બોલે છે.

સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવીને કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ સંપૂર્ણપણે ઘેરાઈ ગયા છે. આ પહેલા કોંગ્રેસે પણ તેમના નિવેદનથી દૂરી બનાવી લીધી છે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, દિગ્વિજય સિંહની ટિપ્પણી તેમનું વ્યકિતગત મંતવ્ય છે અને પાર્ટી દ્વારા તેને સમર્થન આપવામાં આવ્યું નથી. UPA સરકાર દ્વારા 2014 પહેલા સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. લશ્કરી કાર્યવાહી જે રાષ્ટ્રીય હિતમાં છે, કોંગ્રેસે તમામને સમર્થન આપ્યું છે અને કરતું રહેશે.

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.