CM શિંદેનું સ્ટીકર હટાવીને પવાર સીધા CMની ખુરશી પર બેસી ગયા,મહારાષ્ટ્રમાં હંગામો

મુંબઈના નરીમાન પોઈન્ટ વિસ્તારમાં મનોરા વિધાયક નિવાસનો ભૂમિપૂજન કાર્યક્રમ હતો. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર અને બંને DyCM હાજર રહ્યા હતા. જો કે આ કાર્યક્રમમાં CM એકનાથ શિંદે કોઈ કારણોસર હાજર રહી શક્યા ન હતા. રાહુલ નાર્વેકરે અજિત પવારને CMની ખુરશી પર બેસવા કહ્યું. આ પહેલા નાર્વેકરે ખુદ ખુરશી પર CM શબ્દો લખેલું સ્ટીકર પણ હટાવી દીધું હતું. રાહુલ નાર્વેકરની આ હરકત પછી ઘણા લોકોની આંખો તરડાઈ ગઈ હતી.

અહીં તમને જણાવી દઈએ કે, અજિત પવારે કરેલા બળવા પછી મહારાષ્ટ્રમાં રાજકીય સમીકરણો બદલાઈ ગયા છે. અજિત પવારના સમર્થકો સતત દાવો કરી રહ્યા છે કે, તેઓ ટૂંક સમયમાં મહારાષ્ટ્રના CM બનશે. તેમના સિવાય વિરોધ પક્ષોના નેતાઓ દ્વારા પણ આવા દાવા કરવામાં આવી રહ્યા છે. આ ઘટના બન્યા પછી વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે પણ તેમની પ્રતિક્રિયા આપી છે. રાહુલ નાર્વેકરે કહ્યું કે, આવા શુભ દિવસે નકામી ચર્ચાઓ શરૂ ન કરો. CM શિંદે અંગત સમસ્યાઓના કારણે કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા.

ભૂમિપૂજન કાર્યક્રમ થયા પછી મંચ પર ચંદ્રકાંત પાટીલ, નીલમ ગોરે, રવિન્દ્ર ચવ્હાણ, રાહુલ નાર્વેકર, DyCM દેવેન્દ્ર ફડણવીસ બેઠા હતા. આ દરમિયાન DyCM અજિત પવાર પણ મંચ પર આવ્યા હતા. તેમની બેઠક ચંદ્રકાંત પાટીલ અને નીલમ ગોરે વચ્ચે રાખવામાં આવી હતી. અજિત પવાર પોતાની ખુરશી પર બેસી ગયા હતા. CM એકનાથ શિંદેની ખુરશી ખાલી હતી.

CM શિંદે આ કાર્યક્રમમાં હાજરી આપી શક્યા ન હોવાથી, વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે અજિત પવારને CM શિંદેની ખુરશી પર બેસવા વિનંતી કરી. પરંતુ ખુરશી પર CM લખેલું સ્ટીકર હતું. રાહુલ નાર્વેકરે બાજુની ખુરશી પરથી સ્ટીકર જાતે હટાવી દીધું. રાહુલ નાર્વેકરના સ્ટીકર હટાવ્યા પછી અજિત પવાર તે ખુરશી પર બેસી ગયા. આ પછી કાર્યક્રમ શરૂ થયો.

અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના ધારાસભ્યો માટે મનોરામાં આવાસ બનાવવામાં આવી રહ્યા છે. એક બિલ્ડિંગમાં 40 માળ અને બીજી બિલ્ડિંગ 28 માળની હશે. એક જ પરિસરમાં લગભગ 1200 કરોડના ખર્ચે વિધાનસભાના 288 અને વિધાન પરિષદના 78 સહિત કુલ 368 ધારાસભ્યો માટે આવાસની વ્યવસ્થા કરવામાં આવી છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.