શું ખરેખર શરદ પવાર અને અજીત પવાર લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે?

અજીત પવાર અને તેમના સમર્થક 15 ધારાસભ્યોએ સોમવારે મુંબઈના વાઈ.બી. ચવ્હાણ સેન્ટરમાં નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે શરદ પવારને એ સુનિશ્ચિત કરવા કહ્યું કે, પાર્ટી એકજૂથ રહે. આ મુલાકાતના થોડા કલાકો બાદ શરદ પવારે પોતાની પ્રતિક્રિયા આપી છે. ફરી એક વખત તેમણે ભાજપની વિભાજનકારી રાજનીતિને લઈને વિરોધ વ્યક્ત કર્યો. શરદ પવાર વાઈ.બી. ચવ્હાણ કેન્દ્રમાં NCPની યુવા શાખાના કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા હતા.

તેમણે સ્પષ્ટ કરી દીધું કે, તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP)નું સમર્થન નહીં કરી શકે અને પોતાની પ્રગતિશીલ રાજનીતિ ચાલુ રાખશે. 82 વર્ષીય શરદ પવાર પોતાના ભત્રીજાના બળવાથી દુઃખી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ગત 2 જુલાઇના રોજ એકનાથ શિંદેના નેતૃત્વવાળી ભાજપ-શિવસેના સરકારમાં અજીત પવાર અને તેમના ઘણા ધારાસભ્ય સામેલ થઈ ગયા હતા. અજીત પવારના પોતાના કાકા વિરુદ્ધ બળવાથી NCP તૂટી ગઈ હતી. બળવો કરનારા NCP નેતાઓએ સોમવારે શરદ પવાર સાથે પાર્ટીને ફરીથી એકજૂથ કરવા પર વિચાર કરવાની અપીલ કરી.

2 જુલાઇના રોજ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પદના શપથ લેનારા અજીત પવાર અને તેમના સમર્થક ધારાસભ્યોની NCP પ્રમુખ સાથે 2 દિવસમાં આ બીજી બેઠક છે. મીટિંગ્સમાં સામેલ રાજ્યસભાના સભ્ય પ્રફુલ પટેલે કહ્યું કે, તેઓ અને અજીત પવાર મંગળવારે દિલ્હીમાં ભાજપના નેતૃત્વવાળા રાષ્ટ્ર જનતાત્રિક ગઠબંધન (NDA)માં સામેલ થશે. શરદ પવાર સાથે આજની બેઠકમાં અમે તેમને ફરીથી એ સુનિશ્ચિત કરવા કહ્યું કે, NCP એકજૂથ રહે. જે ધારાસભ્ય (અજીત પવાર કેમ્પ) રવિવારે થયેલી બેઠક દરમિયાન શરદ પવારને મળી શક્યા નહોતા. તેઓ આજની મુલાકાતમાં સામેલ હતા.

આ મુલાકાત રાજ્ય વિધાનમંડળના મોનસૂન સત્રની પૂર્વ સંધ્યા પર થઈ હતી. બેઠક બાદ NCP નેતા પ્રફુલ પટેલે જણાવ્યું કે, અજીત પાવર સહિત બધા NCPના મંત્રીઓએ શરદ પવારને આ બાબતે વિચારવાનો અનુરોધ કર્યો છે કે NCP કેવી રીતે એકજૂથ રહેશે. તેમણે કહ્યું કે, શરદ પવાર અમારા ભગવાન છે. અમે આજે તેમના આશીર્વાદ લેવા માટે યશવંતરાવ ચવ્હાણ કેન્દ્રમાં મુલાકાત કરી. અમે બધાએ તેમને એ બાબતે વિચારવાનો અનુરોધ કર્યો કે પાર્ટી કેવી રીતે એકજૂથ રહેશે. તેમણે કહ્યું હતું કે, તેમણે શાંતિથી અમારી વાત સાંભળી. જો કે, તેમણે તેના પર કોઈ પ્રતિક્રિયા ન આપી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.