એર ઇન્ડિયાના પાયલટ રતન ટાટાના દ્વારે, કહ્યું- કંપની સાંભળતી નથી, શું છે વિવાદ?

ટાટા જૂથની માલિકીની એરલાઈન એર ઈન્ડિયાના પાયલોટોએ મંગળવારે પગાર માળખું બદલવાના મેનેજમેન્ટના નિર્ણય પછી આ સમસ્યાને ઉકેલવા માટે રતન ટાટાના હસ્તક્ષેપની માંગ કરી હતી. એર ઈન્ડિયાના 1,500 થી વધુ પાયલટો દ્વારા હસ્તાક્ષર કરાયેલી અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે  હાલનું HR ડિપાર્મેટમેન્ટ પાયલોટોની ચિંતા સાંભળતુ નથી. એર ઈન્ડિયાએ 17 એપ્રિલે તેના પાયલોટ અને ક્રૂ મેમ્બર માટે વળતરનું સુધારેલું માળખું રજૂ કર્યું હતું.

જો કે, તેને Commercial Pilots Association of India  અને Indian Pilot Guild  આ બંને પાયલોટ એસોસિયેશન દ્વારા નવા માળખાને નકારી કાઢવામાં આવ્યું હતું. બંને યુનિયનોનું કહેવું છે કે એરલાઇન દ્વારા શ્રમ પ્રક્રિયાઓનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને નવા કરાર કરતા પહેલા તેમની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી નથી. બંને યુનિયનોએ તેમના સભ્યોને સુધારેલા કરાર અને પગાર માળખા પર હસ્તાક્ષર ન કરવા અને એનો અસ્વીકાર કરવા કહ્યું છે.

પાયલોટોએ એ પછી રતન ટાટાને પત્ર લખ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, અમે અમારા કામ અને ટાટા ગ્રુપમાં અમારા સ્થાનને લઇને ગર્વ મહેસુસ કરીએ છીએ. જો ક, અત્યારે અમારે HR વિભાગથી કેટલીક પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અમે એ વાત સમજી શકીએ છીએ કે એર ઇન્ડિયાની સામે હજુ કેટલાંક જટિલ પડકારો છે અને એનો ઉકેલ લાવવા માટે અમે કંપનીની સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. પરંતુ અમને લાગે છે કે અમારી ચિંતાઓને HR યોગ્ય રીતે સમજી શક્યું નથી.

એર ઇન્ડિયાએ 24 એપ્રિલે એક ટાઉન હોલ મીટિંગમાં કહ્યું હતું કે, સુધારેલી સેલરી સીસ્ટમ કાયદા હેઠળ જ છે. કંપનીએ કહ્યુ કે, કોન્ટ્રાક્ટમાં કોઇ પણ બદલાવ થયો છે તે કાયદાની મર્યાદામાં રહીને જ કરવામાં આવ્યો છે. જો તમને કોઇ એવું કહી રહ્યું હોય કે નવી સીસ્ટમ કાયદાની બહાર છે તે તે બિલકુલ ખોટું છે.

સંશોધિત વળતર પ્રણાલી હેઠળ, એર ઈન્ડિયાએ ગેરેન્ટેડ ફ્લાઈંગ એલાઉન્સ 20 કલાકથી વધારીને 40 કલાક કર્યું છે. આ વિવાદનું મૂળ બની ગયું છે. ખરેખર, કોવિડ-19 રોગચાળા પહેલા ફ્લાઈંગ એલાઉન્સ 70 કલાકનું હતું. આ ઉપરાંત પાયલટોને તેમની સેવાના વર્ષોના આધારે કોન્ટ્રાક્ટમાં સર્વિસ રિવોર્ડ આપવામાં આવે છે.

About The Author

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.