અજીત પવારનો મોટો દાવ, બોલ્યા- મને વિપક્ષ પદ પરથી હટાવી દો અને મને કોઇ..

મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય હલચલ વચ્ચે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) નેતા અજીત પવારે પ્રદેશ અધ્યક્ષ પદને લઈને મોટું નિવેદન આપ્યું છે. અજીત પવારે બુધવારે (21 જૂન 2023ના રોજ) NCPના સ્થાપના દિવસના અવસર પર મુંબઇમાં આયોજિત કાર્યક્રમમાં અજીત પવારે પોતાને નેતા વિપક્ષ પદ પરથી હટાવવાની માગ કરી છે. અજીત પવારે કહ્યું કે, મને નેતા વિપક્ષ પદ પરથી મુક્ત કરીને પાર્ટીમાં કોઈ પદ આપવું જોઈએ. જે પણ પદ આપવામાં આવશે તેની સાથે ન્યાય કરીશ. જો કે, તેનો નિર્ણય વરિષ્ઠ નેતા કરશે.

તેમણે કહ્યું કે, ‘આગામી ચૂંટણીમાં વંચિત બહુજન અઘાડી અને તેલંગણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ને હલકામાં ન લો. હાલમાં જ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારની દીકરી સુપ્રિયા સૂલે અને પ્રફુલ પટેલને નવા કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. આ બદલાવથી અજીત પવારની નારાજગીનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. જો કે અજીત પવારે પોતે આ ખબરોને નકારી દીધી હતી.

શું અજીત પવાર કરી રહ્યા છે અધ્યક્ષ પદનો દાવો?

હવે સવાલ ઉઠી રહ્યા છે કે શું અજીત પવારે પાર્ટીમાં કોઈ પદ આપવાનું કહીને અધ્યક્ષ પદનો દાવો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, જયંત પાટીલ છેલ્લા 5 વર્ષથી પાર્ટીના મહારાષ્ટ્ર એકાઈના અધ્યક્ષ પદ પર કાર્યરત છે. પાર્ટીના સંવિધાનમાં દર 3 વર્ષ બાદ પદ બદલવાનું પ્રાવધાન છે. એક મહિના અગાઉ શરદ પવારે પાર્ટી અધ્યક્ષ પદ પરથી રાજીનામાની રજૂઆત કરી હતી. પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓના સખત વિરોધ અને માગણી બાદ તેમણે પોતાનો પ્રસ્તાવ પરત લેવો પડ્યો હતો.

એક મહિના બાદ તેમણે રાજ્યસભાના સાંસદ પ્રફુલ પટેલ અને લોકસભાના સાંસદ સુપ્રિયા સૂલેને પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષના રૂપમાં જાહેર કર્યા. અજીત પવારના નિવેદન પર શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતની પ્રતિક્રિયા પણ સામે આવી છે. સંજય રાઉતે કહ્યું કે, આ NCPનો આંતરિક મામલો છે. મોટો સવાલ એ છે કે BRS અને વંચિત બહુજન અઘાડી પાર્ટી ક્યાંક ભારતીય જનતા પાર્ટી (BJP)ની ટીમ તરીકે કામ તો કરી રહી નથી ને. તો મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અજીત પવારના નિવેદનને લઈને કહ્યું કે, તેમણે જે પણ કહ્યું તે પાર્ટીનો આંતરિક મામલો છે, તેના માટે NCPએ પોતે નક્કી કરવું પડશે કે કયા વ્યક્તિએ કયું કામ કરવાનું છે. અજીત પવાર NCPમાં પ્રભાવી નેતા છે.

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.