અજિત પવારે બળવો કરી NCP પર દાવો કર્યો, પણ જાણો શું કહે છે દળ બદલ કાયદો

મહારાષ્ટ્રના રાજકારણમાં રવિવારે ભારે ઉથલપાલ મચી ગઇ છે અને વિપક્ષ નેતા અજિત પવાર સવારે શિવસેના અને ભાજપ ગઠબંધનની સરકારમાં સામેલ થઇ ગયા છે અને તેમને નાયબ મુખ્યમંત્રી પદના શપથ પણ લઇ લીધા છે. અજિત પવારની સાથે NCPના 8 ધારાસભ્યોને પણ રાજ્ય સરકારમાં મંત્રી બનાવી દેવાયા છે. જેમાં છગન ભુજબળ, ધનંજય મુંડે, અનિલ પાટીલ, દિલીપ વલસે પાટીલ, ધર્મરાવ આત્રામ, સુનીલ વલસાડ, અદિતિ તટકરે અને હસન મુશ્રીફના નામનો સમાવેશ થાય છે.કદાચ આટલી વાત વિશે તમને જાણકારી મળી ગઇ હશે, પરંતુ સરકારમાં સામેલ થયા પછી અજિત પવારે બીજો મોટો બોંબ ફોડ્યો છે અને સીધો  NCPપર દાવો ઠોકી દીધો છે.જેમ શિવસેના સાથે બળવો કર્યા બાદ એકનાથ શિંદેએ શિવસેના પર પોતાનો હક હોવાનો દાવો કર્યો હતો.

સરકારમાં સામેલ થયા બાદ અજિત પવારે છગન ભુજબળ અને પ્રફુલ પટેલ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અજિત પવારે સ્પષ્ટ કહ્યું કે પાર્ટીનું નામ અને ચિન્હ પણ મારી પાસે રહેશે. મેં બાકીના ધારાસભ્યોનો પણ સંપર્ક કર્યો છે અને આજે સાંજ સુધીમાં ઘણા ધારાસભ્યો અહીં પહોંચી જશે. તેમણે સ્પષ્ટ કહ્યું કે ભવિષ્યમાં અમે કોઈપણ ચૂંટણી, પછી તે જિલ્લા પરિષદ હોય કે અન્ય પંચાયતની ચૂંટણીઓ, NCPના ચિહ્ન પર જ લડીશું. તમને યાદ હશે કે નાગાલેન્ડમાં પણ NCPના 7 ધારાસભ્યો ચૂંટાયા હતા અને તેઓએ વિકાસ માટે ભાજપ સરકારમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો.

આ પ્રેસ કોન્ફરન્સમાં અજિત પવારે કહ્યું કે પાર્ટીનું નામ અને પ્રતીક અમારી પાસે રહેશે. આ રીતે અજિત પવારે NCP પર દાવો કર્યો છે. જો કે અજિત પવારે દાવો કર્યો છે કે તેમના નિર્ણયને પાર્ટીના તમામ લોકોનું સમર્થન છે, પરંતુ હજુ સુધી શરદ પવાર તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી. આવી સ્થિતિમાં સવાલો ઉઠી રહ્યા છે કે શું NCPમાં  બે ફાડચા પડી જશે? અને જો આમ થશે તો તેના પર પક્ષપલટા વિરોધી કાયદો લાગુ થશે કે નહીં?

1970ના દાયકામાં ભારતીય રાજકારણમાં આયા રામ ગયા રામનું રાજકારણ ખૂબ જ લોકપ્રિય હતું. જે બાદ 1985માં 52માં બંધારણીય સુધારા હેઠળ પક્ષપલટા વિરોધી કાયદો પસાર કરવામાં આવ્યો હતો. પક્ષપલટા વિરોધી કાયદો બંધારણની દસમી અનુસૂચિમાં સામેલ છે અને એક સુધારા દ્વારા તેને બંધારણમાં ઉમેરવામાં આવ્યો છે.

પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ જન પ્રતિનિધિને ગેરલાયક ઠેરવી શકાય છે, જો ચૂંટાયેલા સભ્ય સ્વેચ્છાએ રાજકીય પક્ષનું સભ્યપદ છોડી દે અથવા ચૂંટણી પછી અન્ય રાજકીય પક્ષમાં જોડાય. તે કોઈપણ મહત્વપૂર્ણ મતદાનમાં ગેરહાજર રહે છે તો ગેરલાયક ઠરે છે, પરંતુ, જો કોઇ પાર્ટીના બે તૃત્યાંશ સભ્યો અન્ય પાર્ટીમાં સામેલ થઇ જાય ત એ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવતા નથી. વિધાનસભા સ્પીકર પાસે અધિકાર છે કે પક્ષપલટો કરવાની સ્થિતિમાં ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાનો અંતિમ નિર્ણય કરી શકે.

About The Author

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.