શરદ પવાર સાથે મુલાકાત પર બોલ્યા અજીત પવાર- કાલે કાકીને મળવા ગયો હતો, કાકા...

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે કાકા શરદ પવાર સાથે મુલાકાત બાદ શનિવારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે એ પણ જણાવ્યું કે, તેઓ પોતાની કાકીને મળવા ગયા હતા. ત્યાં શરદ પવાર અને સુપ્રિયા સુલે પણ મળ્યા. અજીતે કાકાને પોતાના પ્રેરણાસ્ત્રોત પણ બતાવ્યા અને તેમની તસવીર ઉપયોગ કરવાની વાત પણ સ્વીકારી. તેમણે એમ પણ જણાવ્યું કે, તેમને શિક્ષણ વિભાગ સાથે સંબંધિત મુદ્દાની એક ચિઠ્ઠી પણ આપી છે. શનિવારે નાસિકમાં અજીત પવાર પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા.

અજીત પવારે કહ્યું કે, એ અમારી પરંપરા છે કે અમે પરિવારને મહત્ત્વ આપીએ છીએ. એ મારા માતા-પિતાએ શીખવ્યું છે. મને પોતાના પરિવાર સાથે મળવાનો અધિકાર છે. મારી કાકી હોસ્પિટલમાં હતા, એટલે હું તેમને મળવા ગયો હતો. અંતરાત્માના અવાજે મને કહ્યું તો હું મળવા ગયો. કાકા શરદ પવાર અને સુપ્રિયા સુલે પણ ઉપસ્થિત હતા. પવાર સાહેબે મને શિક્ષણ વિભાગના સંબંધમાં એક ચિઠ્ઠી આપી છે. આ ચિઠ્ઠી 21-22ની છે. શરદ પવાર અમારા પ્રેરણાસ્ત્રોત છે અને આદરણીય પણ છે. મારા રૂમમાં પણ તેમની તસવીર છે. તેમની તસવીર ઉપયોગ કરવામાં આવી રહી છે.

2 જુલાઇના બળવા બાદ પહેલી વખત કાકા-ભત્રીજા વચ્ચે મુલાકાત થઈ. ત્યારબાદ સરગરમીઓ તેજ થઈ ગઈ હતી. જો કે, ત્યારબાદ મુલાકાતનું કારણ સ્પષ્ટ થઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે શરદ પવારના પત્ની પ્રતિભાને શુક્રવારે સર્જરી બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. અજીત પાવર તેમની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. આ અગાઉ અજીત પવાર કેમ્પના મંત્રી છગન ભુજબલે પ્રતિભા પવાર જલદી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી હતી.

અજીત પવારે કહ્યું કે, NCPને મજબૂત બનાવવા માટે બધા પ્રયાસ કરીશું. મને ગઠબંધન કે કોંગ્રેસ સાથે આવવા બાબતે કોઈ જાણકારી નથી. પ્રશાસન જનતાની વાત સાંભળે, તેના માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ખાલી પદો પર નોકરીઓના સંબંધમાં સમીક્ષા કરવામાં આવશે. કલ્યાણકારી યોજનાઓને જનતા સુધી પહોંચાડવા માટે અધિકારીઓની જરૂરિયાત છે. હું પોતાના સ્તર પર નિર્ણય લઇશ. શિંદે અને ફડણવીસ પણ મદદ કરશે.

કેબિનેટ વિસ્તારને લઈને મુખ્યમંત્રીનો વિશેષાધિકાર છે. અમે બોર્ડ પાસે જવાબ લઈશું. અમે અનુભવી છીએ. એટલે અમને સવાલોના જવાબ આપવામાં કોઈ પરેશાની નહીં થાય. વાલીઓ-મંત્રીઓને લઈને 5-6 દિવસ બાદ ચર્ચા થશે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, વિપક્ષ જો કાલે ચા પાર્ટીનો બહિષ્કાર કરશે તો અમે સહયોગ કરીશું. નેતા વિપક્ષના સંબંધમાં સ્પીકર નિર્ણય લેશે. સત્ર દરમિયાન નિમણૂક થાય છે. શિવસેના (UBT) નેતા સંજય રાઉતને લઈને કહ્યું કે, આ બધી અફવાઓ પર વિશ્વાસ ન કરો. કોઈ ખાડા નથી, જન પ્રતિનિધિઓને પણ મુદ્દાઓ બાબતે ખબર હોવી જોઈએ.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.