ગુજરાત આવીને અખિલેશ યાદવે સમજાવી EDની પરીભાષા

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટી (SP)ના અધ્યક્ષ અખિલેશ યાદવ શનિવારે અમદાવાદ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે CBI અને એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના બહાને ભાજપ પર જોરદાર પ્રહાર કર્યો હતો. તેમણે તપાસ એજન્સીઓની છાપેમારી પર કહ્યું કે, કેન્દ્રની ભાજપ સરકાર આ સમયે પૂર્વવર્તી કોંગ્રેસ સરકારની નીતિ પર કામ કરી રહી છે. જો આજે કોંગ્રેસ જમીન પર પહોંચી ગઈ છે, તો કાલે ભાજપ પણ જમીન પર પહોંચી હશે.

તેમણે કહ્યું કે ભાજપ સત્યનો માર્ગ ભૂલી ગઈ છે અને અહિંસાનો રસ્તો બુલ્ડોઝરે લઈ લીધો છે. આ દરમિયાન અખિલેશ યાદવે EDની પરિભાષા સમજાવી હતી. અખિલેશ યાદવે કહ્યું કે, ED છે એક્ઝામિન ઇન ડેમોક્રેસી, તમારે એ પરીક્ષામાંથી પસાર થવું પડશે. ભાજપ કોંગ્રેસના રસ્તે ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટી કોઈ નવું કામ કરી રહી નથી. ઉલ્લેખનીય છે કે, બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના પરિવાર અને સંબંધીઓને ત્યાં EDની છાપેમારી ચાલી રહી છે. તેમાં સમાજવાદી પાર્ટીના નેતા જિતેન્દ્ર સિંહનું નામ પણ સામેલ છે, જે લાલુ પ્રસાદ યાદવના વેવાઈ પણ છે.

EDની કાર્યવાહીથી અખિલેશ યાદવ પણ નારાજ છે. તેમણે કહ્યું કે, CBI, ED અને ઇનકમ ટેક્સ પાસે છાપેમારી કરાવવાનું ભાજપનું કોઈ નવું કામ નથી. એક દિવસે ભાજપની પણ એ જ હાલત થશે, જે આજે કોંગ્રેસની છે. તેમનું નામ લેનારું કોઈ નહીં હોય. અખિલેશ યાદવે ગુજરાત સાથે ઉત્તર પ્રદેશનો જૂનો સંબંધ બતાવ્યો. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ગાંધીજીએ જન્મ લીધો, પરંતુ લોકો તેમને યમુનાના કિનારે યાદ કરે છે, ત્યાં જઈને સંકલ્પ લે છે. ભગવાન કૃષ્ણએ યમુનાના કિનારે જન્મ લીધો, પરંતુ છેલ્લા શ્વાસ ગુજરાતમાં લીધા હતા.

આ સંબંધ ઉત્તર પ્રદેશના લોકો અને યમુનાનો છે. સત્ય અને અહિંસાનો નારો ગાંધીજીએ આપ્યો હતો અને એ જ રસ્તે દુનિયા ચાલી, પરંતુ જ્યારથી દેશ અને ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર આવી છે, સત્ય અને અહિંસાનો માર્ગ ભૂલી ચૂકી છે. હવે અહિંસાનો રસ્તો બુલ્ડોઝરે લીધો છે.

તેમણે કહ્યું કે, ભાજપ પણ એ જ રસ્તો અપનાવી રહી છે, જેના પર કોંગ્રેસ ચાલતી હતી. CBI, ED, ઇનકમ ટેક્સ બધી કોંગ્રેસના ઇશારે ચાલતી હતી. હવે આ એજન્સીઓ ભાજપ સરકારના ઇશારા પર ચાલી રહી છે. કોંગ્રેસે ઘણા બધા નેતાઓ પર છાપેમારી કરાવી હતી, હવે ભાજપ કરાવી રહી છે. ભાજપ કયું નવું કામ કરાવી રહી છે. ગુજરાતના વેપારી જાણે છે કે, ઇનકમ ટેક્સ, ED, CBI સરકારના ઇશારે ચાલે છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.