અખિલેશ યાદવે ખોલી નાખ્યા પત્તા, જણાવ્યું- 2024ની ચૂંટણીમાં કોને આપશે સાથ

વર્ષ 2023 શરૂ થવાનો છે અને લોકસભાની ચૂંટણીને હવે માત્ર એક વર્ષ જ બાકી છે. એવામાં તમામ રાજકીય પાર્ટીઓએ પોત-પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, નેતાઓ ગુણા-ગણિત લગાવી રહ્યા છે. કઈ પાર્ટી કોને સાથ આપશે તેના માટે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. કહેવાય છે કે, દિલ્હીની ખુરશીનો રસ્તો UPમાંથી થઈને જ જાય છે. એવામાં UPની મુખ્ય વિપક્ષી પાર્ટી સમાજવાદી પાર્ટીના (SP) મુખ્યા અખિલેશ યાદવે લોકસભા ચૂંટણી 2024ને લઈને પોતાના પત્તા ખોલી નાખ્યા છે. અખિલેશ યાદવે જણાવ્યું કે, લોકસભા ચૂંટણીમાં તેઓ કોને સાથ આપશે?

કોનો સાથ આપશે અખિલેશ યાદવ?

અહીં તમને જણાવી દઈએ કે, સપા સુપ્રીમો અખિલેશ યાદવ પહેલા જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાથી દૂરી બનાવી ચૂક્યા છે અને હવે તેમણે 2024ની લોકસભા ચૂંટણી માટે પોતાના પ્લાનનો ખુલાસો કરી દીધો છે. અખિલેશ યાદવે કહ્યું છે કે, જો ત્રીજો મોરચો બનશે તો તે તેને સાથ આપશે. આજે ભાજપથી બધા પરેશાન છે.

કોંગ્રેસથી સપા પ્રમુખે બનાવી દૂરી

હાલમાં જ અખિલેશ યાદવે કહ્યું હતું કે, તેમને કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં સામેલ થવાનું આમંત્રણ નથી મળ્યું. જો કે, તેણે એમ પણ કહ્યું કે તેની યાત્રાની સાથે અમારી ભાવનાઓ છે. પછી અખિલેશે કહ્યું કે, ભાજપ અને કોંગ્રેસ બંને એક જ છે. આનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે, અખિલેશ યાદવ હવે કોંગ્રેસ-ભાજપ સિવાય જે મોરચો બનશે, તેની સાથે રહેશે.

અખિલેશે જણાવ્યું આ કારણ

અખિલેશ યાદવે આગળ કહ્યું કે, અમારી પાર્ટીનો સિદ્ધાંત અલગ છે, ભાજપ અને કોંગ્રેસ બંને એક છે. જો કે, કોંગ્રેસ તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે તેના તરફથી ભારત જોડો યાત્રામાં અખિલેશ યાદવ, માયાવતી અને જયંત ચૌધરી સહિત બિન-ભાજપ પાર્ટીના નેતાઓને UPમા 3 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી યાત્રામાં સામેલ થવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ અગાઉ, સપાના પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ કહ્યું હતું કે અખિલેશ યાદવ પાર્ટીના કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાને કારણે કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં  સામેલ નહીં થશે. સપાના કોઈ અન્ય નેતા યાત્રામાં સામેલ થવા પર તેમણે કહ્યું કે, આ અંગે ચર્ચા નથી થઈ.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.