ક્રિક્રેટ તો ક્રિકેટ રાજકારણમાંથી પણ અંબાતી રાયડુનો U-ટર્ન, 9 દિવસમાં જ....

On

ટીમ ઇન્ડિયાના પૂર્વ બેસ્ટમેન અંબાતી રાયડુએ જે રીતે ક્રિક્રેટમાં નિવૃતિની જાહેરાત પછી U ટર્ન માર્યો હતો એવી જ રીતે હવે રાજકારણમાં પણ U ટર્ન મારીને બધાને ચોંકાવી દીધા છે. હજુ તો નવ દિવસ પહેલા જ આંધ્રપ્રદેશની એક રાજકીય પાર્ટી સાથે રાજકીય ઇનિંગની શરૂઆતની જાહેરાત કરનાર અંબાતી રાયડુએ આ પાર્ટીને રામ રામ કરી દીધા છે. રાયડુએ પોતે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે આ પાર્ટી હું છોડી રહ્યો છું, પરંતુ તેણે પાર્ટી છોડવાનું કારણ જણાવ્યું નથી.

ટીમ ઇન્ડિયાનો પૂર્વ બેસ્ટમેન અંબાતી રાયડુએ 9 દિવસ પહેલાં આંધ્રપ્રદેશની સત્તારૂઢ પાર્ટી YSR કોંગ્રેસ જોઇન કરી હતી અને મુખ્યમંત્રી વાય એસ જગન મોહન રેડ્ડી સાથેની તસ્વીરો વાયરલ થઇ હતી.

અંબાતી રાયડુએ X પ્લેટફોર્મ પર લખ્યું છે કે, હું બધાને જણાવવા માંગુ છું કે મેં YSR કોંગ્રેસ પાર્ટી છોડવાનો નિર્ણય લીધો છે. હું થોડા સમય રાજનીતિથી દુર રહેવા માંગુ છું. આગામી નિર્ણય સમય સાથે લઇશ.રાયડુએ તો પાર્ટી છોડવાનું કારણ જણાવ્યું નથી, પરંતુ લોકો કમેન્ટમાં પોત પોતાની રીતે કારણો જણાવી રહ્યા છે.

કેટલાંક લોકોએ કમેન્ટમાં લખ્યું કે પાર્ટીનો ભ્રષ્ટાચાર જોઇને રાયડુએ નિર્ણય લીધો, તો કોઇકે લખ્યુ કે, ક્રિક્રેટરોએ રાજકારણથી દુર રહેવું જોઇએ. કેટલાંક ચાહકોએ કહ્યું કે રાજકારણ છોડીને અંબાતીએ ફરી IPLમાં આવી જવું જોઇએ.

જો કે અંબાતી રાયડુએ આવું પહેલીવાર નથી કર્યું. અંબાતીએ વર્ષ 2019માં વર્લ્ડકપ ટીમમાં સામેલ ન થવા પર ક્રિક્રેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. પરંતુ થોડા જ સમયમાં અંબાતી રાયડુએ U- ટર્ન લીધો હતો અને IPLમાં રમવાનો નિર્ણય જાહેર કર્યો હતો. તે વખતે અંબાતી રાયડુ CSK માટે રમ્યો હતો.

રાયડુએ ભારત માટે 55 વન-ડે અને 6 T-20 રમી છે. વન-ડેમાં તેણે 1694 રન બનાવ્યા હતા, જમાં 3 સદી અને 10 હાફ સેન્ચુરી સામેલ છે. જ્યારે T-20માં માત્ર 42 રન જ બનાવ્યા છે.

રાયડુએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું અને ઈન્ડિયન પ્રીમિયર લીગ માં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. રાયડુએ ચેન્નાઈને IPL 2023ની ફાઈનલ જીતવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. મોહિત શર્માની એક ઓવરમાં ચોગ્ગા અને છગ્ગા ફટકારીને રાયડુએ મેચ CSK તરફ વાળ્યો અને પછી છેલ્લી ઓવરમાં જાડેજાએ મેચ જીતીને CSKને પાંચમી વખત ચેમ્પિયન બનાવ્યું હતું.

Related Posts

Top News

ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને પણ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાર કિડે 'નાદાનિયાં' થી...
Entertainment 
ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

ધૂળેટી અને જુમ્મેની નમાજ એક જ દિવસે થવાના કારણે નમાજના સમય અંગેની જે મૂંઝવણ હતી તે દૂર થઈ ગઈ છે....
National 
સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

બિહાર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) ના 1.50 લાખથી વધુ લાભાર્થીઓને તેમના વ્યક્તિગત બેંક ખાતાઓમાં જરૂરી રકમ જમા કરાવવા છતાં...
National 
પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

ગયા વર્ષે, દિવાળીના અવસર પર, કેન્દ્ર સરકારે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વૃદ્ધોને મફત તબીબી સારવારની સુવિધા...
Business 
હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati