દોષિત MP-MLA પર ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ, એમિકસ ક્યુરીની માગ

જો ધારાસભ્યો અને સાંસદો પર કોર્ટમાં કોઈ ગુનો સાબિત થાય તો ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ લાદવાની માંગ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. વરિષ્ઠ વકીલ વિજય હંસારિયા, જેમને સુપ્રીમ કોર્ટ દ્વારા સાંસદો અને ધારાસભ્યો સામેના ફોજદારી કેસ સંબંધિત કેસોમાં એમિકસ ક્યૂરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, તેમણે તેમના અહેવાલમાં કહ્યું છે કે, દોષિત નેતાઓ પર છ વર્ષ માટે ચૂંટણી લડવા પર નહીં પરંતુ આજીવન પ્રતિબંધ મૂકવો જોઈએ.

ભારતના મુખ્ય ન્યાયાધીશ CJI D.Y. ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચ સમક્ષ હાજર થયેલા તેમના અહેવાલમાં, હંસારિયાએ જણાવ્યું હતું કે, 'સાંસદ અને ધારાસભ્યો સામાન્ય લોકોની સાર્વભૌમ ઇચ્છાનું પ્રતિનિધિત્વ કરે છે અને એકવાર નૈતિક ક્ષતિ સાથે સંકળાયેલો ગુનો કરતા જોવા મળે છે, તો તેમને કાયમી ધોરણે ગેરલાયક ઠેરવવા જોઈએ.'

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત એમિકસ ક્યુરી વિજય હંસરિયાએ તેમનો 19મો રિપોર્ટ દાખલ કર્યો. આ સમય દરમિયાન, કોર્ટમાં એમિકસ ક્યૂરીએ અહેવાલનું સમર્થન કર્યું હતું અને કહ્યું હતું કે, જો કોઈ નેતા દોષિત હોય તો તેના પર 6 વર્ષના પ્રતિબંધને બદલે ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ મૂકવો જોઈએ. હકીકતમાં, એમિકસ ક્યૂરી સાંસદો અને ધારાસભ્યો સામેના પડતર કેસોના ઝડપી નિકાલ થાય તેના પર નજર રાખી રહ્યું છે.

લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 8ને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. એમિકસ ક્યુરીએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન એક્ટ, 2003 અને લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ, 2013 હેઠળ દોષિત ઠેરવ્યા પછી કાયમી અયોગ્યતા અને/અથવા વૈધાનિક પદ ધારણ કરવાથી દૂર કરવાની જોગવાઈ છે.

એમિકસ ક્યુરીએ રિપોર્ટમાં કહ્યું છે કે, કલમ 8 હેઠળ ગુનાને ગંભીર અને વધારે ગંભીર આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. હંસરિયાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 8એ જોગવાઈ કરે છે કે, અયોગ્યતા છૂટની તારીખથી માત્ર છ વર્ષના સમયગાળા માટે રહેશે. દોષિત વ્યક્તિ છૂટ્યાના છ વર્ષ પછી ચૂંટણી લડવા માટે લાયક છે, ભલે તે બળાત્કાર અથવા ડ્રગના વ્યવહાર અથવા આતંકવાદી પ્રવૃત્તિઓ અથવા ભ્રષ્ટાચાર જેવા ગંભીર કેસમાં સંડોવણી જેવા જઘન્ય અપરાધ માટે દોષિત સાબિત કરવામાં આવ્યા હોય.

હંસરિયાએ તેમના અહેવાલમાં જણાવ્યું હતું કે, સાંસદો અને ધારાસભ્યો સામે મોટી સંખ્યામાં કેસ પેન્ડિંગ છે અને કુલ 5175 પેન્ડિંગ કેસોમાંથી 2116 કરતાં વધુ કેસો એટલે કે 40%, 5 વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ છે. સમગ્ર દેશમાં સાંસદો અને ધારાસભ્યો સામે વિવિધ હાઈકોર્ટમાં 1377 પેન્ડિંગ કેસ સાથે ઉત્તર પ્રદેશ પ્રથમ ક્રમે છે. દેશભરના વર્તમાન અને ભૂતપૂર્વ સાંસદો અને ધારાસભ્યો સામેના ફોજદારી કેસોમાં ચોથા ભાગના કેસ એકલા UPના છે. આ યાદીમાં બિહાર 546 કેસ સાથે બીજા સ્થાને છે.

આ આંકડા કલંકિત પ્રતિનિધિઓ પર સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત એમિકસ ક્યુરીએ રજૂ કરેલા 19મા રિપોર્ટના છે. હકીકતમાં, 2016માં BJP નેતા અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી PIL પછી, સુપ્રીમ કોર્ટ આ કેસોનો જલદી નિકાલ થાય તેના પર નજર રાખી રહી છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.