સરદાર સાહેબ પછી દેશના સૌથી શક્તિશાળી ગૃહપ્રધાન અમિત શાહે આપી શ્રદ્ધાંજલિ

આજે ભારતના પૂર્વ ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ છે. આ દિવસને દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ સહિત ઘણા નેતાઓએ તેમને યાદ કર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં બે દિવસના ગુજરાતના પ્રવાસે છે, તેમણે સરદાર પટેલની જયંતી પર કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર પુષ્પાંજલિ અર્પિત કરી. તો ગૃહ મંત્રી અમિત શાહ દિલ્હીમાં એકતા દિવસ કાર્યક્રમમાં સામેલ થયા.

આજે સવારે સૌથી પહેલા અમિત શાહ સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારક પહોંચ્યા અને પુષ્પાંજલિ અર્પિત કરી. આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને કેન્દ્રીય રેલ મંત્રી અનુરાગ ઠાકુર પણ ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હીમાં સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એકતાના શપથ લેવડાવ્યા. જેમાં ઉપસ્થિત લોકોએ દેશની એકતા, અખંડતા અને સુરક્ષામાં પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ લીધો હતો.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, ‘એકતા દિવસની શુભકામનાઓ આપું છું. આખો દેશ વર્ષ 2014થી આ દિવસને એકતા દિવસના રૂપમાં મનાવે છે. ગુજરાતના કેવડિયામાં સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા બનાવીને તેમને સન્માન આપવાનું કામ કર્યું છે. એ સિવાય તેમણે સંબોધનની શરૂઆત લોકોને સરદાર પટેલ જયંતીની શુભકામના આપતા કરી. તેમને કહ્યું કે, આજે આપણા દેશના પ્રથમ ગૃહ મંત્રી સરદાર પટેલની 148મી જન્મજયંતી છે. આપણે બધા જાણીએ છીએ કે આઝાદી બાદ અંગ્રેજ દેશ છોડીને જતા રહ્યા.

અમિત શાહે આગળ કહ્યું કે, એ સમયે આપણાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે થોડા જ દિવસોમાં 550 કરતા વધુ દેશી રજવાડાઓને એકતાના સૂત્રમાં પરોવીને ભારતનું માનચિત્ર બનાવવાનું કામ કર્યું હતું. સરદાર પટેલના ઈરાદાઓનું પરિણામ છે કે ભારતનું માનચિત્ર છે અને કાશ્મીરથી કન્યા-કુમારી સુધી ભારત એક છે. સરદાર સાહેબ ન હોત તો આપણે અહી ન હોત. આપણે સંકલ્પ લેવાનો છે કે દેશની 100મી વર્ષગાંઠ મનાવી રહ્યા હોઈએ તો ભારત શ્રેષ્ઠ હોય, રાષ્ટ્રીય એકતા દિવસ તેમાં મહત્ત્વપૂર્ણ કડી છે. વડાપ્રધાન આજે કેવડિયામાં સંબોધિત કરશે. આપણે બધા મળીને એ સંકલ્પ લઈએ કે આ રાષ્ટ્રને આપણે સર્વપ્રથમ બનાવીએ. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હીમાં સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી પર ‘રન ફોર યુનિટી’ને લીલી ઝંડી દેખાડી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.