શહેરોના નામ બદલવા પર અમિત શાહ બોલ્યા- અમે મુઘલોના યોગદાનને અમે હટાવવા..

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દાવો કર્યો છે કે આ વખત પણ ત્રિપુરામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર બનશે. અમિત શાહે કહ્યું કે, આ વખત ભાજપનું ત્રિપુરામાં સૌથી સારું પ્રદર્શન હશે. ભાજપ આ વખત પહેલી વખત કરતા વધુ સીટ જીતશે અને અમારી વોટિંગ ટકાવારી વધશે. એટલું જ નહીં અમિત શાહે દાવો કર્યો કે, આ વર્ષે થનારી ચૂંટણીમાં કર્ણાટક, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની સરકાર બનશે. સમાચાર એજન્સી ANIને ઇન્ટરવ્યૂમાં અમિત શાહે ઘણા મુદ્દાઓ પર વાત કરી હતી.

આ દરમિયાન અમિત શાહે કહ્યું કે, આ વખત ભાજપથી ત્રિપુરામાં બધી પાર્ટીઓ ભયભીત છે. આ જ કારણ છે કે, રાજ્યમાં લેફ્ટ પાર્ટી પણ આ વખત કોંગ્રેસ સાથે આવી ગઈ છે. જ્યારે શહેરોના નામ બદલવાને લઈને અમિત શાહને સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, અમે મુઘલોના યોગદાનને હટાવવા માગતા નથી. ન તો કોઈના યોગદાનને હટાવવા માગીએ છીએ, પરંતુ આ દેશની પરંપરાને જો કોઈ સ્થાપિત કરવા માગે છે તો તેમાં કોઈ પરેશાની ન થવી જોઈએ. એક પણ શહેર એવું નથી, જેનું નામ જૂનું હોય અને અમે નામ બદલ્યું હોય.

તેમણે કહ્યું કે, ખૂબ સમજી વિચારીને અમારી સરકારોએ નિર્ણય લીધો છે. રાજ્યો પાસે તેનો વૈધાનિક અધિકાર છે. અમિત શાહને જ્યારે પૂછવામાં આવ્યું કે, ત્રિપુરના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લવ દેબને હટાવીને માણિક સાહાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા, શું તમને તેમના પર ભરોસો નહોતો? આ સવાલના જવાબમાં અમિત શાહે કહ્યું કે, બધી પાર્ટીઓની એક સિસ્ટમ હોય છે. ભાજપે પણ જ્યારે કેન્દ્રીય રાજનીતિમાં નેતાઓની જરૂરિયાત હોય છે તો તેમને રાજ્યોથી લઈ આવવામાં આવે છે. અમિત શાહે કહ્યું કે, અમે બિપ્લબ દેબને રાજ્યસભા લઈને આવ્યા, અમે તેમને રાષ્ટ્રીય મંત્રી બનાવ્યા.

દિલ્હીથી નજીક હરિયાણા રાજ્યના પ્રભારી બનાવ્યા. હું તેને પ્રમોશન તરીકે જોઉ છું. તેઓ ભાજપ માટે રાષ્ટ્રીય સ્તર પર કામ કરી રહ્યા છે. તેની સાથે જ તેઓ ત્રિપુરામાં માણિક સાહાની મદદ કરી રહ્યા છે. અમે ત્રિપુરાથી હિંસા સમાપ્ત કરી દીધી. એટલું જ નહીં, અમે ડ્રગ્સનું કામ કરનારાઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરી રહ્યા છીએ. આજે નોર્થઇસ્ટમાં શાંતિ છે. અમારી સરકારે ઉગ્રવાદીઓ સાથે એગ્રીમેન્ટ કર્યા છે. 8000 કરતા વધુ ઉગ્રવાદીઓએ સરેન્ડર કરી દીધું છે. નોર્થઈસ્ટ વિસ્તારને પહેલા બંધ  માટે ઓળખવામાં આવતો હતો આજે વિકાસ થઈ રહ્યો છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.