અમૃતપાલ સિંહનો નવો વીડિયો આવ્યો સામો, કપડાં બદલીને કારમાં ભાગતો દેખાયો

પંજાબમાં ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ અને તેના સંગઠન વારિસ પંજાબ દે વિરુદ્ધ છેલ્લાં ચાર દિવસોથી એક્શન ચાલી રહ્યું છે. દરમિયાન અમૃતપાલ સિંહ સાથે સંકળાયેલો એક વીડિયો સામે આવ્યો છે, જેમા તે ટોલ પ્લાઝા પર કારની આગળની સીટ પર દેખાઈ રહ્યો છે. અમૃતપાલ સિંહને એક ટોલ બૂથની સામે આવેલા ફુટેજમાં કારમાં જોઈ શકાય છે. દરમિયાન, અમૃતપાલ સિંહના જે બ્રિઝા કારમાં ફરાર થવાની શંકા છે તે કાર પોલીસે જપ્ત કરી લીધી છે. શાહકોટના મનપ્રીત મન્નાના ઘરેથી ગાડી જપ્ત કરવામાં આવી છે. ગાડીમાંથી પોલીસને બંદૂક, કારતૂસ અને વોકીટોકી સેટ પણ મળ્યો છે.

અમૃતપાલ સિંહ વિરુદ્ધ શનિવાર (18 માર્ચ) ના રોજ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારે પોલીસે તેનો ઘણા કિલોમીટર સુધી પીછો કર્યો જોકે, તે ભાગવામાં સફળ રહ્યો. અમૃતપાલ સિંહ ત્યારે મર્સિડિઝ કાર છોડીને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ તેણે બ્રિઝા કાર અને બાઇકનો ઉપયોગ કર્યો. તેમા તે ભૂરા રંગની પાઘડીમાં દેખાઈ રહ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, અમૃતપાલ સિંહ કપડાં બદલીને ભાગી ગયો હતો. પોલીસે બદલાયેલા દેખાવની તસવીરો શેર કરી છે.

પંજાબના IGP સુખચૈન સિંહે કહ્યું કે, કાયદો અને વ્યવસ્થા યોગ્ય છે. જનતાનો સહયોગ મળી રહ્યો છે. બ્રિઝા કાર જપ્ત થઈ છે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી ભગવંત માન સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તે પહેલા મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું હતું કે, કોઈને પણ છોડવામાં નહીં આવશે.

પંજાબ સરકારે મંગળવારે જણાવ્યું કે, અમૃતપાલ સિંહ વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લગાવવામાં આવ્યો છે. તેની શોધ માટે સતત મોટા સ્તર પર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ સિલસિલામાં મંગળવારે અમૃતપાલ સિંહના ઘરે પંજાબ ઈન્ટેલિજન્સની ટીમ પહોંચી.

પોલીસે વારિસ પંજાબ દે સાથે સંકળાયેલા આશરે 120 લોકોની ધરપકડ કરી છે. અમૃતપાસ સિંહ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા અભિયાન વચ્ચે મંગળવારે પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં સુનાવણી થઈ. આ દરમિયાન કોર્ટે પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, 80 હજાર જવાન શું કરી રહ્યા છે? અત્યાર સુધી અમૃતપાલ સિંહ ફરાર છે. આ પંજાબ પોલીસની ગુપ્ત નિષ્ફળતા છે.

About The Author

Top News

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.