પુત્ર-વહુથી નારાજ વૃદ્ધે દોઢ કરોડની મિલકત સરકારના નામે લખી,અગ્નિદાહનો હક છીનવ્યો

ઈન્ટરનેટના આ યુગમાં જીવન જીવવાનો અર્થ પણ બદલાઈ ગયો છે. એક સમયે સંયુક્ત કુટુંબનો સમયગાળો હતો, જે હવે ધીમે ધીમે વિભક્ત કુટુંબની પ્રથામાં ફેરવાઈ રહ્યો છે. એક સમયે પરિવારના આધારસ્તંભ કહેવાતા ઘરના વડીલો હવે બોજ ગણાય છે. વૃદ્ધાશ્રમોની સંખ્યા જે પહેલા ગણીગાંઠી હતી, આજે તેમની સંખ્યા સતત વધી રહી છે. પોતાના જ પરિવારના વડીલો સાથે દુર્વ્યવહારના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરથી સામે આવ્યો છે, જ્યાં એક 80 વર્ષીય વ્યક્તિએ પોતાના પુત્ર અને પુત્રવધૂથી પરેશાન થઈને રાજ્યપાલને પોતાની મિલકત દાનમાં આપી દીધી.

80 વર્ષીય નાથુ સિંહ વ્યવસાયે ખેડૂત છે પરંતુ તેમના પુત્ર અને પુત્રવધૂના વ્યવહારથી તેઓ ખૂબ જ દુઃખી છે. નાથુ સિંહનું કહેવું છે કે, પુત્ર અને પુત્રવધૂ તેમની સાથે સારો વ્યવહાર નથી કરતા, જેના કારણે તેમણે લગભગ 1.5 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત રાજ્યના ગવર્નરને દાનમાં આપી દીધી છે. નાથુ સિંહ તેના પુત્રથી એટલો નારાજ છે કે, તે નથી ઈચ્છતો કે પુત્ર અને પુત્રવધૂ તેની મિલકતનો વારસો મેળવે.

મુઝફ્ફરનગરના બિરલ ગામના રહેવાસી નાથુ સિંહ હાલમાં વૃદ્ધાશ્રમમાં રહે છે. તેમને એક પુત્ર ઉપરાંત ત્રણ પુત્રીઓ પણ છે. તેણે કહ્યું કે તે નથી ઈચ્છતો કે તેના કોઈ સંતાનને તેની મિલકતનો વારસો મળે. નાથુ સિંહ કહે છે, 'શનિવારે મેં UPના ગવર્નરને પ્રોપર્ટી સોંપવા માટે એફિડેવિટ ફાઈલ કરી હતી, જેમાં વિનંતી કરવામાં આવી હતી કે, સરકાર મારા મૃત્યુ પછી જમીન પર સ્કૂલ કે હોસ્પિટલ ખોલે.'

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વૃદ્ધ નાથુ સિંહે કહ્યું, 'ઉંમરના આ તબક્કે મારે મારા પુત્ર અને પુત્રવધૂ સાથે રહેવું જોઈતું હતું, પરંતુ તેઓએ મારી સાથે સારો વ્યવહાર કર્યો નહીં. તેથી જ મેં રાજ્યપાલને મિલકત ટ્રાન્સફર કરવાનું મન બનાવ્યું. જેથી તેનો યોગ્ય ઉપયોગ કરી શકાય. વૃદ્ધાશ્રમના પ્રભારી રેખા સિંહે જણાવ્યું હતું કે, 'નાથુ સિંહ મક્કમ હતા અને તેમણે શનિવારે પોતાની મિલકત સોંપવા માટે એફિડેવિટ દાખલ કરી હતી.' નાથુ સિંહ નથી ઈચ્છતા કે પરિવારના સભ્યો તેમના અંતિમ સંસ્કારમાં પણ હાજરી આપે.

દરમિયાન, બુઢાના તહસીલના સબ-રજિસ્ટ્રાર પંકજ જૈને કહ્યું, 'વૃદ્ધ વ્યક્તિની વિનંતી નોંધવામાં આવી છે. તેણે સોગંદનામામાં તેની આશરે રૂ. 1.5 કરોડની સંપત્તિનો ખુલાસો કર્યો છે, જેમાં રહેણાંક મકાન, તેની 10 વીઘા ખેતીની જમીન અને સ્થાવર મિલકતનો સમાવેશ થાય છે. આ બધું તેમના મૃત્યુ પછી અમલમાં લાવવામાં આવશે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.