અનંત અંબાણીએ આ રાજ્યના મુખ્યમંત્રી રાહત ફંડમાં 25 કરોડ રૂપિયા દાનમાં આપ્યા

એશિયાના સૌથી ધનિક અને દુનિયાના અબજોપતિઓની યાદીમાં સામેલ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ એક રાજ્યના મુખ્યમંત્રી રીલિફ ફંડમાં 25 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આ પહેલા ગયા વર્ષે અનંત અંબાણીએ આસામના પૂરગ્રસ્તો માટે 25 કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા.

તાજેતરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડમાં સામેલ કરાયેલા મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ શુક્રવારે ઉત્તરાખંડ મુખ્યમંત્રી રીલિફ ફંડમાં 25 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને અનંત અંબાણીનો આભાર વ્યક્ત કયો છે.

આ માહિતી ઉત્તરાખંડ સરકારે એક નિવેદન દ્રારા આપી છે. ઉત્તરાખંડ સરકારે જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અનંત અંબાણી તરફથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓએ શુક્રવારે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના નિવાસ સ્થાને 25 કરોડ રૂપિયાનો ચેક મુખ્યમંત્રી રીલિફ ફંડ માટે આપ્યો હતો.

કોરોના મહામારી વખતે અનંત અંબાણીએ બદ્રીનાથ કેદારનાથ સમિતિને 5 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.

જાણવા મળેલી માહિતી મુજબ હિમાલયની ગોદમાં વસેલા ઉત્તરાખંડમાં આ વખતે વરસાદને કારણે ભારે નુકશાન થયું છે.પૂર પ્રભાવિત રાજ્યને મદદ કરવા માટે અનંત અંબાણીએ મુખ્યમંત્રી રાહત ફંડમાં 25 કરોડની મદદ કરી છે.


ઓક્ટોબર 2020માં અનંત અંબાણીએ ચારધામ દેવસ્થાન બોર્ડને કોવિડ લોકડાઉનના સમયમાં થયેલા નુકસાન માટે મદદ કરવા 5 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. ત્યાર બાદ 2021માં રિલાયન્સ ફાઉંડેશન દ્વારા રાજ્યના આપદા પ્રબંધન અથોરિટીને કોવિડથી રાહત સંબંધિત પ્રયાસો માટે 5 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. રિલાયન્સ ઈંડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ ગત વર્ષે બદ્રીનાથ અને કેદારનાથની મંદિર કમિટીમાં 2.5 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.

તાજેતરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 46મી વાર્ષિક સાધારણ સભામાં મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે તેમની દીકરી ઇશા અંબાણી, પુત્રો આકાશ અંબાણી અને અનંત અંબાણીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડમાં સામેલ કરાયા છે. અનંત અંબાણી જિયો, રિટેલ અને એનર્જિમાં ડિરેકટરના પદ સંભાળી ચૂક્યા છે.

મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે રિલાયન્સના બોર્ડ ઓફ ડિરેકટર્સે ઇશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીને નોન એક્ઝિક્યુટીવ ડિરેકટર્સ તરીકે મંજૂરી આપી દીધી છે. શેરહોલ્ડર્સની મંજૂરી મળ્યા પછી ત્રણેય સંતાનોની નિમણુંક પ્રભાવી બનશે એમ મુકેશ અંબાણીએ કહ્યુ હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડમાંથી નીતા અંબાણી બહાર થઇ ગયા હતા,

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.