ટ્રેનમાં વીજળી જતી રહી તો લોકોએ TTEને પકડીને ટોઈલેટમાં બંધ કરી દીધા, Video

PC: thelallantop.com

સુહેલદેવ એક્સપ્રેસ દિલ્હીના આનંદ વિહારથી સાંજે 06:45 વાગ્યે ઉપડીને ઉત્તર પ્રદેશના ગાઝીપુર સુધી જાય છે. ટ્રેન આનંદ વિહારથી ઉપડી જ હતી કે થોડા સમય બાદ બે એસી કોચના ડબ્બા B1 અને B2માં વીજળી જતી રહી. વીજળી નહોતી, તો એસી પણ ચાલી રહી નહોતી. શરૂઆતમાં મુસાફરોને લાગ્યું કે, કંઈક ગરબડી થઈ હશે, જલદી સારી થઈ જશે, પરંતુ એમ ન થયું. મુસાફરોનો પારો ચડવા લાગ્યો. તેમણે ટ્રેન ટિકિટ એક્ઝામિનર (TTE)ને સવાલ કર્યો, પરંતુ કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો.

TTE પાસેથી કોઈ જવાબ ન મળતા મુસાફરો ગુસ્સે થઈ પડ્યા. ન્યૂઝ એજન્સી PTI દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે મુસાફર TTEને ટોઇલેટમાં બંધ કરવા માટે અંદર ધકેલી રહ્યા છે. વીડિયોમાં એક યુવક કહી રહ્યો છે કે, “તેઓ ( TTE) કહી રહ્યા છે કે કાનપુર પહેલા ગાડી નહીં બની શકે, સમસ્યા કનપુરથી પહેલા સારી નહીં થાય.” કેટલાક લોકો સેકન્ડ એસીમાં જવાની વાત કહી રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, 2-3 કર્મચારી વીજળી સારી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ વીજળી આવતી નથી.

ન્યૂઝ એજન્સી PTIએ મોડી રાત્રે એક બીજી ટ્વીટમાં જણાવ્યું કે, ‘RPF અને રેલવેના અધિકારીઓએ મુસાફરોને આશ્વાસન આપ્યું છે કે પાવર ફેલની સમસ્યા જલદી સારી કરી દેવામાં આવશે. ફ્રેશ જાણકારી મુજબ આ ટ્રેન ટુણ્ડલા પહોંચી ચૂકી છે. એન્જિનિયર્સે B1ના પાવર ફેલિયરને સારો કરી દીધો છે. B2માં લાવવાનું કામ કરી રહ્યા છે. ટ્રેન તો ગાઝીપુર પહોંચી ગઈ, પરંતુ વીડિયો વાયરલ થઈ ગયો. ઉલ્લેખનીય છે કે, ટેક્નિકલી ખામી માટે TTEને જવાબદાર ઠેરવવાના હોતા નથી, તેઓ રેલવેના વાણિજ્યિક વિભાગના કર્મચારી હોય છે.

વીજળીનો વિભાગ અલગ છે. ટ્વીટર પર લોકો પોત-પોતાની રીતે કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, TTE પાવર ફેલિયર માટે કેવી રીતે જવાબદાર? તેમની સાથે આવો વ્યવહાર થવો જોઈતો નહોતો. પોલીસમાં એવા લોકો માટે ફરિયાદ નોંધાવી જોઈએ. અભિ નામના યુઝરે લખ્યું કે, મારી આ લોકો સાથે પૂરી સહાનુભૂતિ છે, પરંતુ TTEને બંધ કરી દેવાના? તેની પાછળનો વિચાર શું હોય શકે છે, સમજ ન પડી. અન્ય એક યુઝરે લખ્યું કે, આ બદમાશો પર કેસ કેમ ન કરવામાં આવ્યો? એ સરકારી કર્મચારીની સુરક્ષાનું શું?

અમરેશ વર્મા નામના યુઝરે લખ્યું કે, ખૂબ જ શરમજનક, ભૂલ કોઈ બીજા વિભાગની અને સજા કોઈ બીજા વિભાગને. એસીવાળા મુસાફર ભણેલા ગણેલા હોય છે અને કામ નાસમજવાળું. સૌથી સસ્તા TTE જ દેખાય છે. એ ડબ્બાવાળા મુસાફર ઉપર FIR થવી જોઈએ. હવે તમે એ વિચારો કે તમે ટ્રેનમાં છો અને એસીની ટિકિટ લીધી છે. તમારા ડબ્બામાં વીજળી જતી રહે તો તમે શું કરશો?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp