પાકિસ્તાન ગયેલી અંજુ પાછી ભારત આવી રહી છે, કહ્યું- બધા સવાલોનો જવાબ તૈયાર છે

રાજસ્થાનના ભીવાડીથી પાકિસ્તાન પહોંચેલી અંજુ આ મહિનાના અંતમાં એટલે કે ઓક્ટોબર સુધીમાં ભારત પરત ફરી રહી છે. અંજુએ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મીડિયા સાથેની વાતચીતમાં અંજુએ જણાવ્યું કે તે તેના બાળકો માટે આવી રહી છે. તે તમામ સવાલોના જવાબ આપવા તૈયાર છે.

અંજુએ જણાવ્યું કે પાકિસ્તાનમાં તેના વિઝાની મર્યાદા સમાપ્ત થઈ રહી છે અને મારે મારા બાળકો પાસે પાછા આવવું છે. અંજુએ કહ્યુ કે, તે અલવર પરત ફર્યા બાદ તેના બાળકો સાથે વાત કરશે. તેમના તમામ સવાલોના જવાબ આપશે. તેણીએ કહ્યું કે તે દેશની સુરક્ષા એજન્સી અથવા પોલીસના તમામ સવાલોના જવાબ આપવા તૈયાર છે. મેં કશું ખોટું કર્યું નથી. તે જે પણ કરી રહી છે, તે તેના બાળકોના સારા ભવિષ્ય માટે કરી રહી છે.

અંજુએ આગળ કહ્યું કે, બીજા શું વિચારે છે તેની સાથે મારે કોઇ મતલબ નથી. મારા માતા-પિતા અને પરિવારને દરેક વાતની જાણકારી હતી. જ્યારે હું પાકિસ્તાન પહોંચી તો સૌથી પહેલો ફોન મેં મારી બહેનને કર્યો હતો. પતિ સાથે તો મારો પહેલેથી જ સંબંધ તુટી ચૂક્યો છે. મારા પતિ અરવિંદે મારી સામે ખોટી ફરિયાદો કરેલી છે, પરંતુ મારી પાસે બધા સવાલોના જવાબ છે. બસ થોડા દિવસ રાહ જુઓ બધુ સત્ય સામે આવી જશે.

અંજુએ કહ્યુ કે હું માત્ર એક સપ્તાહ માટે પાકિસ્તાન આવી હતી, મારે નસરુલ્લા સાથે લગ્ન કરવા હતા, પરંતુ હું એવું વિચારતી હતી કે હું તેને સમજું, પછી એ ભારત આવીને મારા માતા-પિતાને મળે અને પછી અમે બંને લગ્ન કરીએ. પરંતુ સોશિયલ મીડિયામાં એટલું વાતનું વતેસર થઇ ગયું કે મારે તાત્કાલિક નસરુલ્લાહ સાથે લગ્ન કરવા પડ્યા. બધું અચાનક આવી પડ્યું.

અંજુએ કહ્યું કે, હું ભારત આવીને મારા બાળકો સાથે વાત કરીશ, જો તેઓ મારી સાથે પાકિસ્તાનના આવવા ઇચ્છતા હશે તો હું તેમને પાકિસ્તાન લઇને પાછી આવી જઇશ. અને જો તેઓ ભારતમાં રહેવા માંગતા હશે તો તેમને ભારતમા રહેવા દઇશ.

અંજુએ કહ્યુ કે, મારો ઇરાદો બિલુકલ ખોટો નહોતો. જુ પાકિસ્તાન પુરા કાયદાકીય રીતે આવી છું એટલે જ નોકરી છોડીને નહોતી આવી. પાકિસ્તાન આવતા પહેલાં મે મારા પુત્રનું એડમિશન પણ કરાવ્યું હતું.

અંજુએ કહ્યું કે, મને મારા બાળકોની ખુબ યાદ આવે છે અને હું ઘણા દિવસ સુધી રાતભર જાગતી રહી હતી.

અલબત્ત અંજુ ઓક્ટોબરમાં ભારત પાછા ફરવાની વાત કરી રહી છે. પરંતુ આ નિવેદનમાં કેટલું સત્ય છે તે જોવું રહ્યું. કારણ કે આ પહેલા પણ તે કહી ચૂકી છે કે તે જલ્દી જ ભારત પરત ફરશે. પરંતુ પરત ફરી નહોતી. આ સાથે શું અંજુના બાળકો અને પરિવાર તેને સ્વીકારશે? આ એવા સવાલો છે જે લોકોના મનમાં છે. અંજુએ પાકિસ્તાની પ્રેમી નસરુલ્લા સાથે લગ્ન કર્યા છે. તે ત્યાં અંજુમાંથી ફાતિમા બની છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.