મણિપુર ઘટના પર પહેલીવાર બોલ્યા અન્ના હજારે, બોલ્યા- સ્ત્રી...

મણિપુરની ઘટનાને લઈને આખા દેશમાં ગુસ્સો છે. દરેક આ ધ્રુણિત ઘટનાની નિંદા કરી રહ્યું છે. હવે આ ઘટનામાં સામેલ આરોપીઓ માટે સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ મોતની સજાની માગ કરી છે. અન્ના હજારેએ શનિવાર (22 જુલાઇના રોજ)એ કહ્યું કે, આ ઘટનામાં સામેલ ગુનેગારોને મોતની સજા આપવામાં આવે. એવા ગુનેગારોને ફાંસીના ફંદા પર લટકાવવા જોઈએ. આ ઘટના માનવતા પર ડાઘ છે. અન્ના હજારેએ કહ્યું કે, સ્ત્રી આપણી મા છે, બહેન છે. આ પ્રકારની હરકત બિલકુલ સહન કરવામાં નહીં આવે.

તેમણે એવા વ્યક્તિની પત્ની સાથે હેવાનિયત કરી છે, જે દેશની રક્ષા માટે સીમા પર ઊભો રહ્યો છે. એવા ફોજીની પત્ની સાથે એવું કૃત્ય ખૂબ ગંભીર ઘટના છે. આ ઘટના માનવતા પર ખૂબ મોટું કલંક છે. આ અગાઉ કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને મણિપુરની ઘટનાને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP) અને RSS પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, દેશના ધર્મનિરપેક્ષ, લોકતાત્રિક સમાજે એવું મહેસૂસ કરવું જોઈએ કે સંઘ પરિવારના એજન્ડાએ મણિપુરને દંગા ઝોનમાં બદલી દીધું છે.

ઉલ્લેખનીય છે કે મણિપુરના કંગપોકપી જિલ્લામાં 4 મેના રોજ 2 આદિવાસી મહિલાઓને નિર્વસ્ત્ર કરીને ફેરવવામાં આવી હતી. આ દરમિયાન આ મહિલાઓના પરિવારજનોની હત્યા કરવામાં આવી અને આરોપ છે કે તેમની સાથે રેપ પણ કરવામાં આવ્યો. બુધવારે આ ઘટનાનો 26 સેકન્ડનો વીડિયો સામે આવ્યો હતો. ત્યારબાદ આખા દેશમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. આ મહિલાઓ સાથે એક ભારતીય સેનાના પૂર્વ જવાનની પત્ની છે, જેમણે આસામ રેજિમેન્ટમાં કોન્સ્ટેબલના રૂપમાં સેવાઓ આપી હતી અને કારગિલ યુદ્ધમાં પણ  હિસ્સો લીધો હતો.

આ ઘટનામાં પોલીસે મુખ્ય આરોપીઓ સહિત 6 લોકોની ધરપકડ કરી છે. મણિપુર પોલીસે શનિવારે ટ્વીટ કરીને જાણકારી આપી કે આજે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધી મુખ્ય 5 આરોપીઓ અને એક કિશોર સહિત કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મણિપુરમાં ગત 3 મેના રોજ મેતેઈ સમુદાયની અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માગને લઈને કુકી અને મેતેઈ સમુદાય વચ્ચે જાતીય હિંસા શરૂ થઈ હતી, જેમાં અત્યાર સુધી 160 કરતા વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે.

About The Author

Related Posts

Top News

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.