કેજરીવાલને CBIએ બોલાવ્યા, જાણો એના પર અન્ના હજારેએ શું કહ્યું

PC: hindustantimes.com

દિલ્હીમાં આબકારી નીતિ કૌભાંડની તપાસ કરતા હવે CBI મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુધી પહોંચી ગઈ છે. દિલ્હીના મુખ્યમંત્રીને 16 એપ્રિલ એટલે કે આજે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. કેજરીવાલને મળેલા સમન્સ પર અન્ના હજારેએ પ્રતિક્રિયા આપી છે. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા અન્ના હજારેએ કહ્યું કે, કેટલાક દોષ નજરે પડી રહ્યા છે એટલે પૂછપરછ થશે, જો ભૂલ કરી છે તો સજા થવી જોઈએ. હું તો પહેલા પણ એક ચિઠ્ઠી લખી ચૂક્યો હતો.

અન્ના હજારેએ કહ્યું કે, દારૂ બાબતે શું વિચારો છો, સારી વાતો વિચારો, પૈસા માટે કંઈ પણ કરવાનું સારું નથી, દારૂથી કોઈનું ભલું થયું નથી, એટલે અત્યારે CBIએ જોયું હશે તો તપાસ થઈ રહી છે, જો કોઈ દોષ નીકળે છે તો સજા મળવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે, જ્યારે આ મારી સાથે હતા ત્યારે એવો કોઈ દિવસ નહીં હોય, જ્યારે મેં એમ ન કહ્યું હોય કે, આચાર, વિચાર શુદ્ધ રાખો. શુદ્ધ રસ્તે જ જવાનું છે. અવળા રસ્તે ન જવું જોઈએ. મને ખૂબ દુઃખ થાય છે કે સિસોદિયા જેવા વ્યક્તિ જેલમાં છે. હંમેશાં સમાજ અને દેશનું ભલું થવું જોઈએ, પોતાનું નહીં.

દિલ્હી સરકારમાં આબકારી નીતિ કૌભાંડથી હાહાકાર મચી ગયો છે. CBIએ આ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યા છે અને તેમને આજે પૂછપરછ માટે બોલાવ્યા છે. આ દરમિયાન શનિવારે સમાચાર આવ્યા કે દિલ્હી વિધાનસભાનું એક દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. આ વિશેષ સત્ર સોમવારે માટે બોલાવવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી (AAP) સરકારે આ વિશેષ સત્ર એવા સમયે બોલાવ્યું છે, જ્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને CBIએ પૂછપરછ માટે બોલાવ્યા છે.

આ કેસમાં ED તરફથી હાલમાં જ ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી. તે મુજબ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દારૂ વેપારી અને આબકારી નીતિ કૌભાંડના મુખ્ય આરોપી સમીર મહેન્દ્રૂ પાસેથી ફેસટાઇમ કોલ પર વાત કરી હતી. આ વાતચીત આમ આદમી પાર્ટીના સંચાર પ્રભારી વિજય નાયરે કરાવી હતી. ED મુજબ ગયા વર્ષે 12 અને 15 નવેમ્બરના રોજ પૂછપરછ દરમિયાન સમીરે અધિકારીઓને જણાવ્યું હતું કે, વિજય નાયરે અરવિંદ કેજરીવાલ સાથે તેની મુલાકાત નક્કી કરી હતી, પરંતુ જ્યારે વાત ન બની શકી તો વિજયે તેમની સાથે ફેસટાઇમ કોલ પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે વીડિયો કોલ દ્વારા વાત કરાવી.

EDનું કહેવું છે કે, આ વાતચીતમાં અરવિંદ કેજરીવાલે સમીર મહેન્દ્રૂને કહ્યું કે, વિજય તેનો છોકરો છે, તે તેના પર ભરોસો કરી શકે છે અને તેણે વિજય સાથે રહેવું જોઈએ. આ કૌભાંડમાં નાયર આરોપીઓમાંથી એક છે. સમીર મહેન્દ્રૂ અને વિજય નાયરે કથિત રીતે દિલ્હી આબકારી નીતિ કૌભાંડમાં બીજાઓ સાથે મળીને ષડયંત્ર રચ્યું હતું. સમીર અને વિજય સાથે મળીને કામ કરી રહ્યો હતો અને રાજનેતાઓ અને દારૂના વેપારીઓ સાથે ઘણી બેઠકોનો હિસ્સો પણ રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp