કેજરીવાલને CBIએ બોલાવ્યા, જાણો એના પર અન્ના હજારેએ શું કહ્યું

દિલ્હીમાં આબકારી નીતિ કૌભાંડની તપાસ કરતા હવે CBI મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુધી પહોંચી ગઈ છે. દિલ્હીના મુખ્યમંત્રીને 16 એપ્રિલ એટલે કે આજે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. કેજરીવાલને મળેલા સમન્સ પર અન્ના હજારેએ પ્રતિક્રિયા આપી છે. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા અન્ના હજારેએ કહ્યું કે, કેટલાક દોષ નજરે પડી રહ્યા છે એટલે પૂછપરછ થશે, જો ભૂલ કરી છે તો સજા થવી જોઈએ. હું તો પહેલા પણ એક ચિઠ્ઠી લખી ચૂક્યો હતો.

અન્ના હજારેએ કહ્યું કે, દારૂ બાબતે શું વિચારો છો, સારી વાતો વિચારો, પૈસા માટે કંઈ પણ કરવાનું સારું નથી, દારૂથી કોઈનું ભલું થયું નથી, એટલે અત્યારે CBIએ જોયું હશે તો તપાસ થઈ રહી છે, જો કોઈ દોષ નીકળે છે તો સજા મળવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે, જ્યારે આ મારી સાથે હતા ત્યારે એવો કોઈ દિવસ નહીં હોય, જ્યારે મેં એમ ન કહ્યું હોય કે, આચાર, વિચાર શુદ્ધ રાખો. શુદ્ધ રસ્તે જ જવાનું છે. અવળા રસ્તે ન જવું જોઈએ. મને ખૂબ દુઃખ થાય છે કે સિસોદિયા જેવા વ્યક્તિ જેલમાં છે. હંમેશાં સમાજ અને દેશનું ભલું થવું જોઈએ, પોતાનું નહીં.

દિલ્હી સરકારમાં આબકારી નીતિ કૌભાંડથી હાહાકાર મચી ગયો છે. CBIએ આ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યા છે અને તેમને આજે પૂછપરછ માટે બોલાવ્યા છે. આ દરમિયાન શનિવારે સમાચાર આવ્યા કે દિલ્હી વિધાનસભાનું એક દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. આ વિશેષ સત્ર સોમવારે માટે બોલાવવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી (AAP) સરકારે આ વિશેષ સત્ર એવા સમયે બોલાવ્યું છે, જ્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને CBIએ પૂછપરછ માટે બોલાવ્યા છે.

આ કેસમાં ED તરફથી હાલમાં જ ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી. તે મુજબ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દારૂ વેપારી અને આબકારી નીતિ કૌભાંડના મુખ્ય આરોપી સમીર મહેન્દ્રૂ પાસેથી ફેસટાઇમ કોલ પર વાત કરી હતી. આ વાતચીત આમ આદમી પાર્ટીના સંચાર પ્રભારી વિજય નાયરે કરાવી હતી. ED મુજબ ગયા વર્ષે 12 અને 15 નવેમ્બરના રોજ પૂછપરછ દરમિયાન સમીરે અધિકારીઓને જણાવ્યું હતું કે, વિજય નાયરે અરવિંદ કેજરીવાલ સાથે તેની મુલાકાત નક્કી કરી હતી, પરંતુ જ્યારે વાત ન બની શકી તો વિજયે તેમની સાથે ફેસટાઇમ કોલ પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે વીડિયો કોલ દ્વારા વાત કરાવી.

EDનું કહેવું છે કે, આ વાતચીતમાં અરવિંદ કેજરીવાલે સમીર મહેન્દ્રૂને કહ્યું કે, વિજય તેનો છોકરો છે, તે તેના પર ભરોસો કરી શકે છે અને તેણે વિજય સાથે રહેવું જોઈએ. આ કૌભાંડમાં નાયર આરોપીઓમાંથી એક છે. સમીર મહેન્દ્રૂ અને વિજય નાયરે કથિત રીતે દિલ્હી આબકારી નીતિ કૌભાંડમાં બીજાઓ સાથે મળીને ષડયંત્ર રચ્યું હતું. સમીર અને વિજય સાથે મળીને કામ કરી રહ્યો હતો અને રાજનેતાઓ અને દારૂના વેપારીઓ સાથે ઘણી બેઠકોનો હિસ્સો પણ રહ્યો હતો.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.