અન્ના હજારે મહારાષ્ટ્રમાં ફરી આંદોલનનું રણશીંગુ ફુંકશે, હજારો સૈનિકો ભેગા કરશે

કિશન બાપટ બાબુલાલ હજારે જેમને લોકો અણ્ણા હજારે તરીકે જાણે છે તેઓ વર્લ્ડકપ ફાઇનલના દિવસથી એટલે કે 19 નવેમ્બરથી રાલેગણ સિદ્ધીથી ફરી એકવાર આંદોલનનું રણશીંગું ફુંકી રહ્યા છે. આ વખતે તેમનું આંદોલન સૈનિકો માટે હશે. 19 નવેમ્બરે મોટી સંખ્યામાં સૈનિકો આંદોલનમાં જોડાશે. 86 વર્ષની વયે પહોંચેલા અણ્ણા હજુ પણ અડીખમ છે.

અણ્ણા હજારે એક સામાજિક કાર્યકર છે જેમણે ઘણા સામાજિક સુધારાઓનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું છે. તેમનું સૌથી પ્રસિદ્ધ કાર્ય એ સિસ્ટમમાં જન લોકપાલ બિલની રજૂઆત છે, જેણે ભારતમાં ભ્રષ્ટાચાર-સંબંધિત કેસોની તપાસ કરવા લોકપાલની સ્થાપના કરવા માટે ભ્રષ્ટાચાર વિરોધી કાયદાની દરખાસ્ત કરી હતી.

અણ્ણા હજારે ફરી એકવાર રાલેગણ સિદ્ધિથી વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. જેમાં દેશભરના સૈનિકો ભાગ લેશે. આ આંદોલન શા માટે કરવામાં આવી રહ્યું છે. તે હવે જાણો.

રાલેગણ સિદ્ધિમાં ફરી અણ્ણાનું આંદોલન થશે. દેશભરના પૂર્વ સૈનિકો સરકાર સામે લડત આપવા માટે રાલેહણ સિદ્ધીમાં ભેગા થશે.ભૂતપૂર્વ સૈનિકો 19મી નવેમ્બરે રાલેગણ સિદ્ધિમાં વિરોધ પ્રદર્શન કરશે. અણ્ણા હજારે સૈનિકોના આંદોલનને માર્ગદર્શન આપશે. 19 નવેમ્બરે રાલેગણ સિદ્ધીમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર સામે હજારો સૈનિકો રાજ્યના ખેડુતોની તેમના પાકની ગેરટીં કિંમત મળે, દેશના જવાનોનું ભવિષ્ય સંકટમાં ન રહે, જવાનોના બાળકોને મફત શિક્ષણ મળે આવી બધી તેમની માંગ છે.

રાલેગણ સિદ્ધિ એ પશ્ચિમ ભારતના મહારાષ્ટ્ર રાજ્યના અહમદનગર જિલ્લાના પારનેર તાલુકામાં આવેલું એક ગામ છે. તે પુણેથી 87 કિમીના અંતરે આવેલું છે. ગામનો વિસ્તાર 982.31 હેક્ટર છે. ગામમાં વૃક્ષારોપણ, જમીનનું ધોવાણ ઘટાડવું, વરસાદી પાણી જાળવી રાખવા માટે નહેરો ખોદવા જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. ઉર્જા માટે, ગામ સૌર ઉર્જા, બાયોગેસ અને પવનચક્કીનો ઉપયોગ કરે છે. આ પ્રોજેક્ટને ગ્રામીણ પ્રજાસત્તાકના ટકાઉ મોડલ તરીકે રજૂ કરવામાં આવ્યો છે.

અણ્ણા હજારેએ તેમની જમીન બાળકોની હોસ્ટેલ માટે દાનમાં આપી હતી અને સ્વૈચ્છિક નિવૃત્તિ પછી પેન્શન દ્વારા મળેલા નાણાંનું પણ ગામના વિકાસમાં રોકાણ કર્યું હતું. આજે પણ અણ્ણા ગામના મંદિરમાં રહે છે અને હોસ્ટેલમાં બાળકો માટે બનાવેલ ભોજન જ ખાય છે. આજે ગામ માત્ર આત્મનિર્ભર નથી, પણ આજુબાજુના ગામોને દૂધ, ઘાસચારો વગેરેનો પુરવઠો પણ પૂરો પાડે છે. આ પ્રયાસ માટે તેમને પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા છે.

About The Author

Related Posts

Top News

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.