અન્ના હજારે મહારાષ્ટ્રમાં ફરી આંદોલનનું રણશીંગુ ફુંકશે, હજારો સૈનિકો ભેગા કરશે

કિશન બાપટ બાબુલાલ હજારે જેમને લોકો અણ્ણા હજારે તરીકે જાણે છે તેઓ વર્લ્ડકપ ફાઇનલના દિવસથી એટલે કે 19 નવેમ્બરથી રાલેગણ સિદ્ધીથી ફરી એકવાર આંદોલનનું રણશીંગું ફુંકી રહ્યા છે. આ વખતે તેમનું આંદોલન સૈનિકો માટે હશે. 19 નવેમ્બરે મોટી સંખ્યામાં સૈનિકો આંદોલનમાં જોડાશે. 86 વર્ષની વયે પહોંચેલા અણ્ણા હજુ પણ અડીખમ છે.

અણ્ણા હજારે એક સામાજિક કાર્યકર છે જેમણે ઘણા સામાજિક સુધારાઓનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું છે. તેમનું સૌથી પ્રસિદ્ધ કાર્ય એ સિસ્ટમમાં જન લોકપાલ બિલની રજૂઆત છે, જેણે ભારતમાં ભ્રષ્ટાચાર-સંબંધિત કેસોની તપાસ કરવા લોકપાલની સ્થાપના કરવા માટે ભ્રષ્ટાચાર વિરોધી કાયદાની દરખાસ્ત કરી હતી.

અણ્ણા હજારે ફરી એકવાર રાલેગણ સિદ્ધિથી વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. જેમાં દેશભરના સૈનિકો ભાગ લેશે. આ આંદોલન શા માટે કરવામાં આવી રહ્યું છે. તે હવે જાણો.

રાલેગણ સિદ્ધિમાં ફરી અણ્ણાનું આંદોલન થશે. દેશભરના પૂર્વ સૈનિકો સરકાર સામે લડત આપવા માટે રાલેહણ સિદ્ધીમાં ભેગા થશે.ભૂતપૂર્વ સૈનિકો 19મી નવેમ્બરે રાલેગણ સિદ્ધિમાં વિરોધ પ્રદર્શન કરશે. અણ્ણા હજારે સૈનિકોના આંદોલનને માર્ગદર્શન આપશે. 19 નવેમ્બરે રાલેગણ સિદ્ધીમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર સામે હજારો સૈનિકો રાજ્યના ખેડુતોની તેમના પાકની ગેરટીં કિંમત મળે, દેશના જવાનોનું ભવિષ્ય સંકટમાં ન રહે, જવાનોના બાળકોને મફત શિક્ષણ મળે આવી બધી તેમની માંગ છે.

રાલેગણ સિદ્ધિ એ પશ્ચિમ ભારતના મહારાષ્ટ્ર રાજ્યના અહમદનગર જિલ્લાના પારનેર તાલુકામાં આવેલું એક ગામ છે. તે પુણેથી 87 કિમીના અંતરે આવેલું છે. ગામનો વિસ્તાર 982.31 હેક્ટર છે. ગામમાં વૃક્ષારોપણ, જમીનનું ધોવાણ ઘટાડવું, વરસાદી પાણી જાળવી રાખવા માટે નહેરો ખોદવા જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. ઉર્જા માટે, ગામ સૌર ઉર્જા, બાયોગેસ અને પવનચક્કીનો ઉપયોગ કરે છે. આ પ્રોજેક્ટને ગ્રામીણ પ્રજાસત્તાકના ટકાઉ મોડલ તરીકે રજૂ કરવામાં આવ્યો છે.

અણ્ણા હજારેએ તેમની જમીન બાળકોની હોસ્ટેલ માટે દાનમાં આપી હતી અને સ્વૈચ્છિક નિવૃત્તિ પછી પેન્શન દ્વારા મળેલા નાણાંનું પણ ગામના વિકાસમાં રોકાણ કર્યું હતું. આજે પણ અણ્ણા ગામના મંદિરમાં રહે છે અને હોસ્ટેલમાં બાળકો માટે બનાવેલ ભોજન જ ખાય છે. આજે ગામ માત્ર આત્મનિર્ભર નથી, પણ આજુબાજુના ગામોને દૂધ, ઘાસચારો વગેરેનો પુરવઠો પણ પૂરો પાડે છે. આ પ્રયાસ માટે તેમને પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.