અનોખી જાન...વરરાજા અને જાનૈયાઓનો એવો 'કાફલો' નીકળ્યો કે લોકો આશ્ચર્યચકિત થયા

મધ્યપ્રદેશના ખરગોનમાં વરરાજાના એકદમ અનોખા લગ્નની જાન નિકાળી હતી. બળદગાડા પર વરરાજા અને 35 ટ્રેક્ટરમાં જાનૈયાઓ બિરાજમાન હતા. આ જોઈ સૌ કોઈ દંગ રહી ગયા. બળદગાડા અને ટ્રેક્ટરની નીકળેલી આ જાન ચર્ચાનો વિષય બની રહી છે. ત્યારે આવી જાન કાઢવા પાછળ વરરાજાએ આપેલી દલીલ જે વધુ ચર્ચાઈ રહી છે.

હકીકતમાં, ખરગોન જિલ્લા મુખ્યાલયથી લગભગ 80 કિલોમીટર દૂર બડવાહ પોલીસ સ્ટેશન વિસ્તારના બદેલ ગામના ધીરજ પરિહારના લગ્ન ગામની જ ભાગ્યશ્રી સાથે નક્કી કરવામાં આવ્યા હતા. વરરાજાએ પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે કંઈક અલગ કરવાનું વિચાર્યું.

તેથી તેણે બળદગાડા અને ટ્રેક્ટર સાથે કન્યાના દરવાજા સુધી જાન લઈ જવાનું નક્કી કર્યું. તેણે પોતાના માટે બળદ ગાડું અને જાનૈયાઓ માટે ટ્રેક્ટર પસંદ કર્યા. બળદગાડા અને 35 ટ્રેક્ટર સાથે જાન નિકાળી હતી. ત્યારે સૌની નજર આ જાન પર ટકેલી હતી. જેમાં 150 લોકો ટ્રેક્ટર પર સવાર હતા.

આ રીતે જાન કાઢવા અંગે ધીરજે કહ્યું કે, ભગવાન શિવ નંદી પર સવાર થઈને માતા પાર્વતી સાથે લગ્ન કરવા ગયા હતા. તેથી મેં બળદગાડા પર જાન નીકાળવાનું નક્કી કર્યું. તેમજ જાનૈયાઓ માટે ટ્રેક્ટરમાં લઇ જઈને જાન કાઢી હતી.

વાસ્તવમાં આ લગ્ન બદેલ ગામના રહેવાસી ધીરજના પિતા સીતારામ પરિહારના હતા. કન્યા પણ બડેલ ગામના રહેવાસી દેવી સિંહ કાગની પુત્રી ભાગ્યશ્રી હતી. બળદગાડા અને DJ સાથે 35 ટ્રેક્ટર પર ધીરજની જાન નીકાળવામાં આવી હતી. વરરાજા ધીરજ બળદગાડા પર આગળ ચાલી રહ્યો હતો, જેની પાછળ 35 ટ્રેક્ટર પર 150 જેટલા જાનૈયાઓ બિરાજમાન હતા.

અહીં તમને જણાવી દઈએ કે, ધીરજ બેંગ્લોરમાં કામ કરે છે. તેના પિતા ખેડૂત છે. તે ખેતરમાંથી લગ્નની જાન નીકળીને અનોખી રીતે દુલ્હનના દરવાજે પહોંચ્યો. લગભગ એક કિલોમીટર લાંબા ટ્રેક્ટર સાથેના કાફલા સાથે નીકળેલી જાન જોઈને ગામના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

આવી રીતે જાન નીકળવા અંગે ધીરજના પિતા સીતારામ કહે છે કે, છેલ્લા એક મહિનાથી તેઓ તેમના પુત્રના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતા. ટ્રેક્ટર અને બળદગાડા એ ખેડૂતની ઓળખ છે. તેથી જ આ રીતે પુત્રની જાન નીકળવાની યોજના બનાવવામાં આવી હતી. જો કે, ધીરજની ઈચ્છા હતી કે તે ભગવાન શિવની જેમ નંદી પર સવાર થઈને લગ્ન કરવા નીકળે.

About The Author

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.